Mysamachar.in-અમદાવાદ
આજના સમયમાં કેટલાક દંપતીઓ એવા હોય છે જેને કોઈ ને કોઈ કારણોસર લગ્નજીવન બાદ પણ સંતાન પ્રાપ્તિ નથી થતી, ત્યારે આજનો સમય વિજ્ઞાનનો સમય છે, તજજ્ઞ તબીબો છે, અને વિવિધ પદ્ધતિઓ અને સારવારથી સંતાન પ્રાપ્તિ પણ થઇ શકે છે, પણ આજે પણ કેટલાક લોકોમાં એટલી હદે અંધશ્રદ્ધા વ્યાપેલી છે જેને કારણે લોકો ભુવા તાંત્રિક પાસે જાય છે અને ખરાબ પરિણામો આવે છે, આવા જ એક ભૂવાનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે ભુવાએ તેની સાથે શરીર સુખની માંગ કરતા મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ કિસ્સામાં લગ્નના 13 વર્ષ બાદ પણ સંતાન પ્રાપ્તિ ના થતા પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે ભુવાએ તેની સાથે શરીર સુખની માંગ કરીને કહયુ આપડે બન્ને હોટલમાં જઇએ અને તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે. જુહાપુરા વિસ્તારમા રહેતી એક પરણિતાને સંતાન પ્રાપ્તિ માટે ભુવાને ઘરે બોલાવતા મામલો પોલીસ સ્ટેશનસુધી પહોચ્યો છે. ભુવાએ યુવતીને સંતાન પ્રાપ્તિ થાય તે માટે પોતાની શરીર સંબધ બાધવા માટેની વાત કરતા મામલો બીચક્યો હતો. યુવતીએ ભુવાને ઘરમાંથી કાઢી મુક્યા બાદ તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ભુવા વિરુદ્ધ અરજી થતા તેના ભાઇઓ યુવતીના ઘરે આવ્યા હતા અને ગાળો બોલીને ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપી હતી. કહેવાતો ભુવો ઇમ્તિયાઝ હૂસૈન સહીત બે સામે ફરિયાદ કરી છે.
આ યુવતીના લગ્નના 13 વર્ષ થયા છે. પરંતુ લગ્ન બાદ તેને સંતાન પ્રાપ્તિ નહી થતા પડોશમાં રહેતી એક બાળકીને તેને એડોપ્ટ કરી હતી. આ દપંતી ભુવા ઇમ્તિયાઝ હુસૈનના સંપર્કમા આવ્યા.આ ભુવાએ સંતાન માટે દોરાધાગા કરી આપવા યુવતીએ તેને પોતાના ઘરે બોલાવ્યો હતો.અને સંતાન પ્રાપ્તિ થતી નથી અને ઘરમાં પણ પ્રોબ્લેમ હોવાનું કહ્યુ હતું. યુવતીની વાત સાંભળીને ઇમ્તિયાઝ બોલ્યો હતો કે તારે બાળકોના થતા હોય તો તારે બીજા પુરૂષ સાથે સંબધ બાંધવો પડે તો તારા બાળકો થાય. ઇમ્તિયાઝે પરણિતાને હોટલમાં જઇએ અને તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે તેવી વાત કરી હતી. ઇમ્તિયાઝની વાત સાંભળીને યુવતી ઉશ્કેરાઇ હતી અને તેને ઘરમાં કાઢી મુક્યા બાદ પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ કિસ્સામાં બન્ને પક્ષે ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.