Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ સિલ્વર સોસાયટીમાં એક મહિલાની છરીના ઘા ઝીંકી હત્યાની ઘટના સામે આવતા આ વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે, જે રીતે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે જામનગર શહેરના કાલાવડ નાકા બહાર સિલ્વર સોસાયટી વિસ્તારમાં કરીમાબેન સિપાહી નામની મહિલા જયારે કચરો ફેંકવા ગયેલ ત્યારે તેના પર તેના જ બનેવીએ છરીના ઘા ઝીંકી લોહીલુહાણ કરી દેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યાનું જાહેર થયું છે.આ મામલે એ ડીવીઝન પી.આઈ.એમ.જે.જલુ સહિતના સ્ટાફ દ્વારા સ્થળ પર દોડી ગયો છે અને વધુ તપાસ તજવીજ હાથ ધરી છે.
પોલીસ પાસેથી જે રીતે પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ રહી છે તે મરણજનાર કરીમાબેન સિપાઈ ઉ.વ.35 જે સિલ્વર પાર્ક સોસાયટીમાં વસવાટ કરે છે તેની બનેવી ફિરોઝ ઉર્ફે મુનો જે હાલ અમદાવાદમાં રહે છે તેની પત્ની એટલે કે મરણ જનારની બહેન રીસામણે હોય તેથી ફિરોજને તેની શાળી તેનું ઘરસંસાર સુખેથી ચાલવા ના દેતી હોય તેવી શંકાના આધારે આજે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા નીપજાવ્યાનું સામે આવ્યું છે, જો કે આ જ કારણ છે કે અન્ય કોઈ કૌટુંબિક કારણ તે અંગે પોલીસ વિશેષ તપાસ કરી રહી હોવાનું પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જલુએ જણાવ્યું હતું.