Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડના મ્યુનીસીપલ હાઈસ્કુલ પાસે આવેલ આંબેડકરનગરમાં વસવાટ કરતા દીપાબેન વાઘેલાએ તેમના જ પતિ સામે ફરિયાદ નોંધાવી છે, કાલાવડ પોલીસ મથકેથી જાહેર થયેલ વિગતો મુજબ દીપાબેનના પતિ વિજય વાઘેલાએ દીપાબેનને રૂમમાં બંધ કરી ઝઘડો કરી ત્રાસ આપી ચારીત્ર્ય અંગે શંકા કરી તારે બીજે લફરૂ છે તેવી ખોટી શંકા કરીને રૂમમાં પડેલ લોખંડના પાઈપથી અચાનક દીપાબેનને મારી નાખવાના ઈરાદાથી માથામાં પાઈપનો ઘા ઝીંક્યા બાદ મોઢાના ભાગે મુક્કા મારી ગળુ દબાવી મારી જ નાખવી છે તેમ જણાવ્યું હતું, હુમલા બાદ દીપાબેનને સારવારમાં લઈ જતા માથામા ગંભીર ઈજાઓ ઉપરાંત ડાબા હાથમાં ફેકચરની તથા શરીરે મુંઢ ઈજા કર્યા સબબની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાતા પી.આઈ.વસાવા આગળની તપાસ કરી રહ્યા છે.