Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં રોજબરોજ માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જાય છે, આજે પણ અકસ્માતની વધુ એક ઘટના ધંધુકા બગોદરા રોડ પર સામે આવી જ્યાં ખાનગી ટ્રાવેલ્સ બસ પલ્ટી ખાઇ અકસ્માતની આ ઘટનામાં 35થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 3 નાના બાળકો સહિત 11 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્રાવેલ્સ બસ અમદાવાદ થી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી તે દરમિયાન બસને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળી રહી છે, ધંધુકાના ખડોળ પાટિયા પાસે આ અકસ્માતની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ 6 જેટલી 108 ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં ધંધુકા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યાં હતા. આજે સવારે બનેલી આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલિસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.