Mysamachar.in-જામનગર
જામનગર કલેક્ટર કચેરીની મેજીસ્ટેરીયલ બ્રાંચ દ્વારા મહત્વના તમામ કાયદા અંતર્ગત કાર્યવાહીઓ થાય છે જેમાં પારદર્શી વહીવટના ભાગરૂપે જરૂરી બાબતોની પ્રજાજનોને વખતોવખત જાણ કરાય છે, જેથી સુઘડ રીતે કાયદાના પાલન પ્રસ્થાપીત થઇ શકે છે અને અનેક સંવેદનશીલ બાબતે જિલ્લાના નાગરીકો અવગત થતા રહે તે માટે વખતોવખત જરૂરી જાહેરનામાઓ હુકમો વગેરે જિલ્લા કલેક્ટર રવિશંકરના માર્ગદર્શન હેઠળ એડીશનલ કલેક્ટર દ્વારા બ્રાંચના જવાબદાર અધીકારી- કર્મચારીઓને આ કાર્યવાહીઓમા સક્રીય રીતે કાર્યરત કરતા હોય છે
કેમકે કાયદા પાલન કરાવવા માટેની જીલ્લા કલેક્ટરની જીલ્લા મેજીસ્ટ્રેટની મહત્વની જવાબદારી હોય છે, જે આ મુજબની ટીમ દ્વારા સુચારૂ કાર્યપદ્ધતિથી અદા થતી રહેતી હોય છે ત્યારે પરવાના ધારક કેટલા હથિયાર રાખી શકે તેની જાણકારી કાયદા મુજબ આપવા ખાસ હુકમ જારી કરાયો છે.
ગુજરાત સરકાર, ગૃહ વિભાગ, ગાંધીનગરના તા. 06/06/20 ના પત્ર નં.ARMS/1017/128351(PF-4)Mની સુચના અનુસાર આર્મ્સ (અમેન્ડમેન્ડ) એકટ-2019 મુજબ આત્મરક્ષણ તથા પાકરક્ષણ પરવાના હેઠળ હથિયાર પરવાનાધારકો વધુમાં વધુ માત્ર બે હથિયારો રાખી શકે છે. આથી બે થી વધુ હથિયારો માટે પરવાનાધારણ કરે છે. તેવા પરવાનાધારકોને ત્રીજું હથિયાર તા.13/12/2020 પહેલા તેઓના નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા તેમજ હથિયાર જમા પહોંચની નકલ કલેકટર કચેરીની મેજીસ્ટ્રેરીયલ બ્રાંચ ખાતે રજુ કરવા અધીક જીલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાએ એક હુકમમા જણાવ્યુ છે.