Mysamachar.in-જામનગર
વર્ષોથી આપણે ત્યા મેડીકલ સાયન્સ આયુર્વેદ વગેરે સંતુલીત આહાર ઉપર ભાર મુકે છે જેમાં લીલા શાકભાજી, કઠોળ, દહી છાસ દુધ તેમજ જુદા જુદા ધાન્યની વાનગીઓ વગેરેનુ આયોજન કરી ખોરાકમાં લેવાથી વિટામીન સહિતના તત્વો મળે છે, પરંતુ જો આ કાળજી ન લઇએ તો શરીરમા ખામી રહે તો તકલીફો થાય છે તેમ ડાયેટ સાયન્સ કહે છે, કાર્બોહાઇટ્રેટ ચરબી પ્રોટીન ખનીજ તત્વો વગેરે ઘટકો જેમ શરીરને જરૂરી છે તેવી જ રીતે વિટામીન પણ જરૂરી છે જે ખોરાકમાંથી મળે છે વિટામીનની ઉણપથી ઘણી શારીરિક તકલીફો થાય છે અને રોગનો શિકાર બનતા માનવશરીર માટે વિટામીન અને આવશ્યક ઘટક છે,
સદીઓ પહેલા વૈજ્ઞાનિકોએ એક નવું દ્રવ્ય શોધી કાઢયું છે જે રોગોથી માનવ શરીરને બચાવે છે. તેને વિટામીન નામ આપવામાં આવ્યું હતુ ફળો, શાકભાજી, દૂધ વગેરેમાં થોડી માત્રામાં વિટામીન હોય છે. પરંતુ તે કામ મોટું કરે છે. વૈજ્ઞાનિકોએ અનેક પ્રકારના વિટામીન શોધી એ, બી, સી, ડી.ઇ અને કે જેવા નામ આપ્યા વિટામીન માનવ શરીરમાં પ્રવેશ કર્યા બાદ સીધી જ શકિત પ્રદાન નથી કરતા પરંતુ પ્રોટીન અને અન્ઝાઇમ સાથે મળીને રોગ પ્રતિકારક શકિત વધારે છે. વિટામીનનો શરીરમાં સંગ્રહ થતો નથી. તેથી તે શરીરને પ્રતિદિન ખોરાકમાંથી જ મળી રહે તે મુજબ ખોરાક લેવો અનિવાર્ય છે.
જુદા જુદા વિટામીન એટલે કે એ, બી, સી, વગેરે શરીરના વિવિધ અંગો માટે ફાયદાકારક છે. જેમ કે વિટામીન સી હાડકાને મજબુત બનાવે છે. વિટામીન એ આંખો માટે, વિટામીન કે અને ઇ ચામડી માટે સારા વિટામીન બી અને સી પાણીમાં ઓગળે જયારે અન્ય ચરબીમાં ઓગળે છે. માત્ર ખોરાક જ નહીં સૂર્ય પ્રકાશ દ્વારા ચામડીમાં પણ વિટામીન ડી તૈયાર થાય છે. તેમ પણ નિષ્ણાંતોએ ઉમેર્યુ છે. આમ આપણા શરીરનું સંતુલન જળવાઈ રહે તે દિશામાં આપણા આહાર વિહાર હોય તે પણ એટલું જ જરૂરી છે.