Mysamachar.in-જામનગર
જામનગર શહેરમા છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે,તેની સામે તંત્રને કામગીરી કરવી હોય તો રાજકીય આકાઓના રક્ષણ “એડવાન્સપેટે” નક્કી થયા હોય કરી શકાતી નથી, અને ગેરકાયદેસર બાંધકામોની સંખ્યા વધતી જ જાય છે, એવામાં તાજેતરમાં જ કેટલાક પ્રકરણો સામે આવ્યા છે,એક વિષય ઘણા દિવસોથી એવી છાની ચર્ચાને ચગડોળ પર છે કે એ ગુપછુપ બંધ થવાનુ નામ લેતો નથી જેમાં ગીધની જેમ નજર રાખીને બેઠા હોય ને મોકો મળે એટલે ઝપટી પડે તેવી રીતે એક પદાધીકારી તેમજ એક કોર્પોરેટર પતિએ વહેતી ધારામાંથી મોટો ઘડો ભરી લીધાની ચર્ચા છે,
તેમજ ગેરકાયદેસર બાંધકામ કરનારને અભય વચન આપી દીધુ છે કે જા મોજ કર તે ભલે કોર્પોરેશનને વિકાસ ચાર્જને ધુંબો માર્યો પણ અમારા ગજવા ખુબ સારી રીતે ભર્યા માટે તારી બાંધકામની કાંકરી નહી ખરે….જાણકારોના મતે આ બંને “ખંખેરખોર” ને આવા શિકાર મળી રહે છે.આવું જ રણજીતસાગર રોડ પર પણ બન્યું છે, જ્યાં પણ ભાજપમાં ભળેલા એક કોર્પોરેટર દ્વારા રતિલાલ અને રમેશભાઈ નામના વ્યક્તિઓની દુકાનનું નિયમવિરુદ્ધ અને ગેરકાયદેસર બાંધકામ હોય તેને રોકાવવાને બદલે તેના માટે સુરક્ષાકવચ બન્યા છે.
ગેલેક્સી ટોકીઝ પાસે તો ધડાધડ કેટલુ બાંધકામ ગેરકાયદેસર હોય તેને તોડી પાડવાની આખરી નોટીસ મનપાના ટીપીઓ વિભાગ દ્વારા પાઠવાઇ ગઇ હોય પછી શા માટે તેમાંથી ફાયદો કરવાની પદ્ધતિ અમલમાં મુકવી જોઇએ પણ ના પેલી કહેવત છે ને ” વર…..કન્યા…..પણ ગોરનુ………….ભરો” ની જેમ આ એક પદાધીકારીએ ધનના ઢગલા કરવા માટે આ ક્ષેત્ર પસંદ કરી પોતાને જ તગડો લાભ થવો જોઇએ તેવુ વલણ રાખીને તેના જુથ સિવાય કોઇને લાભ ન મળે તેવી પોલીસી રાખી છે.
તે છાની ચર્ચાએ જોર પકડ્યુ છે જો આમ ન હોય તો ગેલેક્સી ટોકીઝ પાસેના ખુબ મોટા અને ખુબ જુના વિસ્તાર તરીકે જાણીતા એરિયામા બનેલુ કોમર્શિયલ બાંધકામ જે કોઇ મંજુરી વગરનુ છે તેના એકથી વધુ માળના બાંધકામ ધારકને પેટનુ પાણીય હલતુ નથી કેમકે તગડા હા ખરેખર તગડા નાણાના ભોગ ધર્યા છે, રકમ ખુબ મોટી છે બાંધકામ પણ મંજુરી વગર અને નિયમ બહારનુ છે કોર્પોરેશન ચોપડે અનઅધીકૃત છે…
પરંતુ બિચ્ચારા સ્ટાફ તો પદાધીકારીના રક્ષણ પાસે તો ટુંકા પડે એ કંઇ કરી ન શકે ને બોલી પણ ન શકે તેવામા એક ચકોરએ ટાપસી પુરી છે કે જંગી રકમ ખંખેરી રક્ષણ આપી રહેલા આ ઉચ્ચ પદાધીકારીની હમણા ટર્મ પુરી થાય છે પછી…?? પછી શું થશે?? જે ગેરકાયદેસર બાંધકામ કરનારને અત્યાર સુધી રક્ષણ આપ્યુ એનુ બાંધકામ તો ગેરકાયદેસર છે ઇ છે જ આ ઉચ્ચ પદાધીકારીને જંગી નાણા આપવાથી બાંધકામ કાયદેસર તો થઈ જતુ નથી તોડી પાડવાનો સરકારી હુકમ યથાવત છે,
તેમજ આધારભૂત સુત્રોએ આ કિસ્સામા સમગ્ર કાગળની કાર્યવાહીઓ બાદમા લેણદેણ માટે વચ્ચે ખાબકેલા આ પદાધીકારી અને કોર્પોરેટર પતિએ જે લાભ મેળવ્યો તે રકમ સહિત સ્ફોટક વિગતો પુરી પાડી છે ત્યારે શુ આ બાંધકામ અડીખમ રહી શકશે? જો કે આ પ્રકારની માલપ્રેક્ટીસ એ અશોભનીય અને ખુબ ટીકાપાત્ર બની છે.