Mysamachar.in-જામનગરઃ
આજે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ છે, વિજ્ઞાન પ્રમાણે જ્યારે પૃથ્વી ઉપર ચંદ્રની છાયા પડે છે, ત્યારે સૂર્યગ્રહણ થાય છે. આ દરમિયાન સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની લાઈનમાં આવી જાય છે. જો કે જ્યોતિશાસ્ત્ર પ્રમાણે આ સૂર્યગ્રહણની સીધી અસર રાશીઓ પર થાય છે. ત્યારે સૂર્યગ્રહણની નકારાત્મક અસરથી બચવા માટે શું કરવું અને શું ન કરવું જોઇએ તે જાણવું જરૂરી છે. આ ગ્રહણ ભારતમાં સવારે 8-04 વાગ્યાથી શરૂ થશે અને 10-56 મિનિટે સમાપ્ત થશે. આ દિવસે માગશર મહિનાની અમાસ તિથિ રહેશે.
સૂર્યગ્રહણનો સૂતકકાળ ગ્રહણની 12 કલાક પહેલાં જ શરૂ થઈ જાય છે. 25 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યાથી જ સૂતકકાળ શરૂ થઈ જશે, જે ગ્રહણના મોક્ષની સાથે જ સમાપ્ત થઈ જશે. સૂતકના સમયે પૂજા-પાઠ ન કરવા જોઈએ. ગ્રહણ વખતે માનસિક રીતે મંત્રોનો જાપ કરી શકો છે. જેમ કે રામ નામ, ऊँ नम शिवाय, સીતારામ, श्री गणेशाय नम: વગેરે મંત્રોનો જાપ કરી શકો છો. તમે ઈચ્છો તો તમારા ઈષ્ટદેવનું પણ ધ્યાન કરી શકો છો. તો સૂર્યગ્રહણ વખતે ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની બહાર ન નિકળવું જોઈએ. કારણ કે એવા સમયે સૂર્યથી નુકસાનકારક તરંગો નિકળતા હોય છે, જે માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે નુકસાનદાયી હોય છે. આ સમયે તેલ માલિશ ન કરવું જોઈએ. ભોજનની વસ્તુઓમાં તુલસીના પાન નાંખવા જોઈએ, જેનાથી તૈયાર ભોજનને ગ્રહણથી અશુદ્ધ થતાં અટકાવી શકાય. સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી ઘરની સફાઈ કરવી જોઈએ. ઘરમાં સ્થાપિત દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્નાન કરાવવું જોઈએ. પૂજા-પાઠ કરવા જોઈએ. જ્યારે પૃથ્વી ઉપર ચંદ્રની છાયા પડે છે, ત્યારે સૂર્યગ્રહણ થાય છે. આ દરમિયાન સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની લાઈનમાં આવી જાય છે.