Mysamacahr.in-જામનગર:
જામનગર માં આજે સવારથી જામનગર શહેરમાં ત્રણ કેસો નવા પોજીટીવ આવ્યાની વાત સામે આવતા જામનગર જીલ્લા કલેકટરએ મીડિયા ગ્રુપમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ગઈકાલે 5 મહિલાઓ અને 3 બાળકો અમદાવાદથી જામનગર આવ્યા હતા, અને તેવોએ હજુ શહેરમાં પ્રવેશ કર્યો નથી, અને ટેવોને ધ્રોલ ખાતેના સમરસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે, અને તેમના રાત્રીના સેમ્પલો લેવામાં આવ્યા તેમાંથી 3 મહિલાઓને કોરોના પોજીટીવ હોવાનું સામે આવ્યું છે, આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગ પાસેથી માર્ગદર્શન માંગવામાં આવ્યું છે, અને ત્રણેયને અમદાવાદથી ઇન્ફેકશન લાગેલ હોય તેમને જામનગરના કેસો માં ગણવા કે પછી અમદાવાદના ગણવા આ વાત કલેકટરે મીડિયા ગ્રુપમાં મૂકી છે. માટે કોઈએ ખોટી અફવાઓ ફેલાવવી નહિ અને ઘરમાં રહી સુરક્ષિત રહેવું.