પ્રશ્ન:હાલ લોકડાઉન પીરીયડ ચાલી રહ્યો છે, આ સમયમાં લોકો પોતાનામાં ઘુસી ગયેલ કુટેવો કઈ રીતે છોડી શકે.?
જવાબ: જી.જી.હોસ્પિટલના માનસિક વિભાગના રેસિડન્ટ ડો. નિરંજન પટેલ lockdown માં ખરાબ ટેવોને સારી ટેવોમાં ફેરવવા માટેના સૂચનો જણાવ્યા હતા, જેમાં જો તમને ધુમ્રપાન કરવાની કે તમાકુ ખાવાની ટેવ હોય અને તમને ખૂબ જ તલપ લાગે ત્યારે ચયુંન્ગમ, કેન્ડી અથવા તજ મોઢામાં રાખી દેવા જેથી તેની ઈચ્છા બદલતી જાય તેમજ ખરાબ ટેવને બદલવાના સંકલ્પ વિશે અન્ય લોકોને કહો આ લોકો તમને ટેવ છોડાવવાની પ્રેરણા આપશે અને જો તમે નિષ્ફળ રહ્યા તો એ લોકો શું વિચારશે એના ડરથી તમારો સંકલ્પ વધુ મજબૂત બનશે, પોઝિટિવ દ્રષ્ટિકોણ રાખો જેથી તમે સંપૂર્ણ રીતે સફળ ના પણ થાવ તો ઠીક છે, પણ બદલાવ તરફનું એક પગલું છે જ્યારે નકારાત્મક કારણો તમને ખરાબ ટેવમાંથી બહાર નીકળવા દેશે નહીં જેથી આવા વ્યસન ધરાવતા લોકોએ નવી ખરાબ ટેવોની શરૂઆત ન થાય તે માટે પણ અત્યંત કાળજી રાખવી જરૂરી ગણાવી હતી.