Mysamachar.in-ગાંધીનગર
જ્યારથી લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યાર થી તેના વધવા અને ઘટવાને લઈને અનેક અટકળો અને વાતો લોકોમુખે સાંભળવા મળતી હોય છે, પણ ધાર્યું ધણીનું થાય તેમ સરકારને જરૂર લાગે તો લોકડાઉન અને છૂટછાટના નિર્ણયો લઇ શકે, રાજ્યમાં લોકડાઉનના ચોથા ચરણમાં છૂટછાટ આપવામાં આવ્યા બાદ ગુજરાતમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં કોરોનાના કેસો વધ્યા છે. જે વિસ્તારોમાં કોરોના પહેલાથી જ વકર્યો હતો તે હજી પણ નિયંત્રણમાં આવ્યો નથી. જેને લઇને છેલ્લા કેટલાક દિવસથી એવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છેકે, લોકડાઉનનો પાંચમો તબક્કો આવશે અને ફરીથી જે પણ છૂટછાટ આપવામાં આવી છે તે બંધ કરી દેવામાં આવશે.
આ પ્રકારના મેસેજ ફરતા થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે, 1લી જૂનથી લોકડાઉન 5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે, એવી વાતો ફેલાવાઈ રહી છે. આ વાતો માત્ર અફવા છે અને નાગરિકોએ આવી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનનો ચોથો તબક્કો પુર્ણ થતાં જ લોકોમાં હવે વધુ એક ચર્ચા ઉઠી છે, કે લોકડાઉન 5 આવશે કે કેમ..આવશે તો કેવું હશે લોકડાઉન. આ સિવાયનાં ઘણા પ્રશ્નો લોકોનાં મનમાં ઉઠી રહ્યા છે.