Mysamachar.in:જામનગર:
જામનગરની પ્રજાના કરના નાણા ની સીધી આવક તેમજ ઇનડાયરેક્ટર રીતે આવતી સરકારી ગ્રાન્ટ એ પણ પ્રજાના વેરાના જ નાણા હોય છે, ત્યારે જામનગર કોર્પોરેશન જે વર્ષે સાત -આઠ અબજ રૂપિયાના આડેધડ ખર્ચા કરે છે જેના પારદર્શી ઓડીટ થતા જ નથી તેમજ ઓડીટ જે સુચના અને ખામીઓ કાઢે છે તેના જવાબ પણ કોર્પોરેશનની ઘણી બ્રાંચ આપતી નથી, ઓડીટ રિપોર્ટ ખુબ મહત્વનો છે બીપીએમસી એક્ટ મુજબ જવાબદારી ફીક્સ કરવાનુ કામ કરે છે તેમજ ઓડીટને વિગત પુરી પાડવી કાયદા મુજબ ફરજીયાત છે છતા અપાતી નથી તેમજ ઓડીટ જે પેરા કાઢે તેની પુર્તતા પણ સાવ નથી થતી તો અમુક બ્રાંચ ઓડીટ પેરાની પુરી પુર્તતા કરતી નથી,
ઉપરાંત વાર્ષિક ઓડીટ રિપોર્ટ પરથી સ્ટેન્ડીંગ કમિટી ઠરાવ કરે છે કે પગલા લેવાશે પરંતુ તે ઠરાવને પણ કોઇ દાદ દેતુ નથી અને સ્ટેન્ડીંગ ચેરમેનના આદેશ ઘોળીને પી જવાય છે દર વખતે ઠરાવ થાય છે કે વર્ષ ૧૨-૧૩ …૧૩-૧૪…..૧૪-૧૫….૧૫-૧૬…૧૬-.૧૭ ના ઠરાવ ની અમલવારી બાકી હોઇ હવે જવાબદારી સામે બેદરકાર રહેનાર સામે પગલા લેવાશે તેવી જાણ કરવા સ્ટે ચેરમેન નો ૨૦/૯ નો ઓર્ડર છે.છતા પગલા લેવાતા નથી કોઇ જાણકારો એમ પણ કહે છે નિયમાનુસાર કરવુ પડે માટે સ્ટે. કમિટી કરવા પુરતા ઠરાવ કરી પોલમપોલ ચાલવા જ દે છે.અને કા તો ધ્યાન બહાર હોય તેવું પણ બને.