Mysamchar.in-જામનગર
લોકડાઉન દરમિયાન ચોક્કસ કારણ વિના વાહનો સાથે બહાર નીકળનાર લોકોના વાહનો પોલીસ દ્વારા ડીટેઈન કરવામાં આવ્યા બાદ આવા વાહનો છોડવવા માટે આરટીઓ કચેરી ખુલવાની કે આરટીઓ કચેરી સુધી જવાની જરૂર નહિ પડે અને જે-તે પોલીસમથકમાં જ વાહનચાલક નિયત દંડની રકમ ભરીને પોતાનું વાહન છોડાવી શકે તે માટે રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા એક પરિપત્ર જારી કરીને આ અંગેની સૂચનાઓ આપવામાં આવી છે. લોકડાઉનના દિવસો દરમિયાન જામનગર પોલીસે 2500 થી વધુ વાહનો ડીટેઈન કર્યા છે, અને આ વાહનચાલકોને તેમના વાહનો પરત લેવા માટે કોઇ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય વાહન વ્યવહાર વિભાગના ડેપ્યુટી સેક્રેટરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે,
જેમાં જે તે પોલીસ સ્ટેશન પરથી જ આ સુવિધા કાર્યરત બનાવવા જણાવાયું છે, રાજ્યનાબંદર અને વાહન વ્યવહાર ખાતાએ આ લોકડાઉન દરમ્યાન જે તે શહેર અને જિલ્લામાંથી જાહેરનામાના ભંગ બદલ ડીટેઇન કરાયેલા વાહનો હવે આરટીઓ કચેરીનાં બદલે પોલીસ સમક્ષ દંડ ભરી વાહન છોડાવી શકાશે તેવો નિર્ણય કર્યો છે, અને આ અંગે રાજયનાં દરેક જિલ્લાનાં સંબંધીત પોલીસ અધિકારીઓને જાણ પણ કરી દેવામાં આવી છે, આ અંગે વાહન વ્યવહાર ખાતાએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે લોકડાઉન દરમ્યાન જાહેરનામાનો ભંગ કરનાર જે વાહન ચાલકોનાં વાહનો પોલીસે ડીટેઇન કરી અને આરટીઓનાં દંડનો મેમો આપેલ હતો.
આવા વાહન ચાલકોએ હવે દંડ માટે આરટીઓ કચેરીએ જવાનું રહેશે નહી અને જે પોલીસમથકમાંથી જ વાહનો ડીટેઇન થયા હોય ત્યાં જ દંડ જમા કરાવી વાહન મુકત થઇ જશે અને આ પરિપત્રની અમલવારી સંભવિત કાલથી રાજયભરમાંથી શરૂ કરી દેવાશે. આ પરિપત્રમાં એવુ પણ જણાવાયું છે કે પોલીસે જે વાહનો ડીટેઇન કર્યા હતા અને આરટીઓના મેમા આપેલા તે તેમોના દંડની વસુલાત હવે હેડ કોન્સ્ટેબલ ઉપરનાં પોલીસ અધિકારી કરી શકશે.આમ જેના વાહનો ડીટેઈન થયેલા છે તેવોને કદાચ લોકડાઉન પૂર્વે જ વાહનો હાથમાં આવી જાય તો પણ પાછા બહાર નીકળવાનું ના વિચારતા અન્યથા ફરી વાહન ડીટેઈન પોલીસ કરશે તો સ્થિતિ એની એજ થશે.