Mysamachar.in-જામનગર
જામનગરમાં આવેલ એમ.પી.શાહ મેડીકલ કોલેજમા અભ્યાસ કરતા અને જી.જી.હોસ્પીટલમાં ફરજ બજાવતા એવા રેસીડેન્ટ તબીબ અને ફેકલ્ટીને અમદાવાદ ખાતે ફરજ બજાવવા માટે બોલાવી અને આરોગ્ય વિભાગ શું સાબિત કરવા માંગે છે, તે સમજાતું નથી, જ્યાં એક કેસ હતો તેવા જીલ્લામાં થી જ્યાં ઢગલાબંધ કેસો છે તેવા અમદાવાદ ખાતે જામનગરથી તબીબોને ફરજ પર બોલાવવામાં આવતા જામનગર થી પહોચેલી ટીમ કોરોનાની ઝપેટમાં આવવા લાગી છે,
જામનગર એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન.ડો.નંદીની દેસાઈ એ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યા મુજબ જામનગર થી એનેસ્થેથીયા અને મેડીસીન એમ બે ડીપાર્ટમેન્ટમાંથી 18 રેસીડેન્ટ અને 6 ફેકલ્ટીને અમદાવાદ ખાતે ફરજ પર મોકલવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલે બે રેસીડેન્ટ તબીબોના રીપોર્ટ પોજીટીવ આવ્યા બાદ આજે વધુ બે રેસીડેન્ટ તબીબોના રીપોર્ટ પોજીટીવ આવ્યાનું તેવોએ સમર્થન કર્યું છે,
જામનગરથી નેગેટીવ રીપોર્ટ સાથે અમદાવાદ પહોચેલા તબીબોમાંથી કુલ 4 તબીબોને પોજીટીવ આવતા જામનગરના રેસીડેન્ટ તબીબોમાં ચિંતા વધી જવા પામી છે, એવામાં તાજેતરમાં વધુ 18 રેસીડેન્ટ તબીબોને અમદાવાદ બોલાવી અને આરોગ્ય વિભાગ શું કરવા માંગે છે.? ડીન ડો.દેસાઈ ના જણાવ્યા પ્રમાણે જે પહેલા ગયા હતા તેમાંથી 4 પોજીટીવને બાદ કરતા તમામ પરત આવ્યા છે, જે પરત ફરી આવ્યા છે તેમાંથી ફેકલ્ટીને લાખાબાવળ નજીક નેચરોપેથી સેન્ટરમાં જયારે રેસીડેન્ટ તબીબોને ડીન બંગલો ખાતે સાત દિવસ કોરોનટાઈન રાખવામાં આવશે.