Mysamachar.in-જામનગર:
જામનગરના મહાપ્રભુજીની બેઠક નજીક આવેલ રંગમતીનદી આસપાસ આજે બપોરના સુમારે એક કિશોર અને એક યુવક પશુ ચરાવવા માટે ગયા હતા, એવામાં કિશોર ડૂબવા લાગતા સાથે રહેલ યુવકે પણ તેને બચાવવા નદીમાં કુદી પડ્યા હતા, જે બાદ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરવિભાગનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને બન્નેના મૃતદેહોને બહાર કાઢતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.પોલીસ હાલ સ્થળ પર પહોચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.