Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા વર્ષે ૭૦ થી ૮૦ કરોડ રૂપિયા સફાઇ માટે ખર્ચે છે, તેમ છતા સફાઇ તો નિયમિત અને પુરતી થતી નથી એની સાથે સાથે સફાઇ ચાર્જનો ૨૫ ટકાથી માંડી ૫૦ ટકા જેટલો વધારો નગરજનો ચુકવે છે, હાલ એક તરફ રોગચાળો બીજી તરફ સફાઇની અનિયમિતતા વચ્ચે નગરજનોને એ જાણવુ મહત્વનુ રહેશે કે સફાઈ થાય કે ન થાય સફાઇ ચાર્જ તો ચુકવવો જ પડે છે, વર્ષ ૧૯-૨૦ ના બજેટમા નોંધ્યા મુજબ ૧૬-૧૭ ના વર્ષમા સફાઇ પાછળ ૬૨ કરોડ ૬૦ લાખનો ખર્ચ થયો તેની સામે સફાઇ ચાર્જ કલેક્શન રૂપિયા ૧ કરોડ ૫૩ લાખ થયો હતો તેમજ વર્ષ ૧૭-૧૮ મા ખર્ચ ૭૧ કરોડ ૪૦ લાખ રૂપિયા સામે કલેક્શન રૂ.૧ કરોડ ૭૯ લાખ થયુ હતુ જ્યારે ૧૮-૧૯ ના વર્ષમા ૮૫ કરોડના ખર્ચ સામે પણ જુજ આવક ચાર્જની થઇ હતી, સફાઇ ચાર્જ સંપુર્ણ વસુલ થતો ન હોય એ કલેક્શન વધુ થાય જ્યાથી નથી વસુલાતો ત્યાથી અસરકારક પગલા લઇ વસુલાત કરવી તેવુ આયોજન કે સઘન કામગીરી કરવાના બદલે સફાઇ ચાર્જમા નાગરીકો ઉપર ૨૫ ટકાથી ૫૦ ટકા વધારી દેવાયા છે, રહેણાકના સફાઇ ચાર્જ પ્રતિમાસ રૂ.૨૦ હતા તે હવે ૨૫ વસુલાય છે, બીનરહેણાંકમા દરમહિને રૂ.૩૦ ના બદલે ૫૦ અને ઇન્ડસ્ટ્રિઝમા ૫૦ ના બદલે ૭૫ વસુલાય છે જોકે વસુલાત નો બોજો નિયમિત કરદાતા પર જ છે.