Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ દ્વારા તાજેતરમાં બદલી પામીને જામનગર ખાતે હાજર થયેલા પોલીસ ઇન્સ્પેકટરોને જે-તે પોલીસ સ્ટેશનોમા મુકવામાં આવ્યા છે, જેમાં આર.બી.ગઢવીને જામજોધપુર, કે.જે.ભોયે ને સીપીઆઈ ધ્રોલ સર્કલ, આર.બી.પ્રજાપતિને સીપીઆઈ જામનગર ગ્રામ્ય, એ.જે.પટેલ ને કાલાવડ ટાઉન, કે.એલ.ગાધેને એસ.ઓ.જી, જે.વી.રાઠોડ ને સીટી બી ડીવીઝન અને કે.કે.બુવળને એરપોર્ટ સિક્યુરિટીમા મુકવામાં આવ્યા છે.આમ એક જુના તેમજ નવા હાજર થયેલા ૬ પોલીસ ઇન્સ્પેકટરોને પોલીસ સ્ટેશનોમા નિમણુંક કરતો હુકમ એસ.પી.દ્વારા કરાયો છે.