Mysamachar.in-જામનગર:
જામનગરમા કેટલાકવર્ષ પૂર્વે આવાસ યોજનામાં મકાન અપાવી દેવાના નામે છેતરપીંડી નું સમગ્ર રેકેટ એલસીબીએ ઝડપી પાડ્યું હતું,ત્યાં જ વધુ એક વખત જામનગરમા જ આવા એક રેકેટની થઇ છે પોલીસ ફરિયાદ…હાપા સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રવિણ ગઢવી અને સંજય રાવલ નામના બન્ને શખ્સોએ પૂર્વયોજિત કાવતરા ના ભાગરૂપે ફરિયાદી ગુલાબસિંહ રાઠોડ સહીત ના ૧૫૦ થી ૨૦૦ જેટલા લોકો ને ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસમાં ફ્લેટ આપવાની લાલચ આપી ૭૮૦૦/- લઇ લીધા હોવાની છેતરપીંડી અને વિશ્વાસઘાત ની ફરિયાદ પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયા બાદ ગુન્હાની ગંભીરતા અને નાણા માણસો સાથે છેતરપીંડી હોય આ કેસની તપાસ એસઓજી ને સોંપવામાં આવી છે. -આ મામલે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો Mysamachar.in સાથે