Mysamachar.in-જામનગર:
આગામી ગણેશ મહોત્સવ નિમિત્તે શહેરમાં ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ તથા સ્થાપના કરવામાં આવે છે,પ્રિન્સીપાલ સેક્રેટરી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્મેન્ટ, ગવર્મેન્ટ ગુજરાતના ડાયરેક્શન મુજબ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમના નિયમો હેઠળ મૂર્તિઓ નિર્માણ કરતાં ધંધાર્થીઓ, આસામીઓએ જે મુદ્દાઓનું પાલન કરવાનું ફરજિયાત રહે છે,તેની અમલવારી કરવા મનપાએ કેટલીક બાબતો જાહેર કરી છે જેમાં..
-મૂર્તિઓ બનાવવા માટે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય તેવું જ મટીરીયલ વાપરવાનું રહેશે
-મૂર્તિઓના કલર કામમાં ઝેરી રસાયણ યુક્ત (ટોકિસક) ના હોય અને વાતાવરણને પ્રદૂષિત ન કરે તેમજ પાણી અને જમીનને નુકશાનકર્તા ન હોય (બાયો ડીગ્રેડેબલ) તેવા કલરનો જ ઉપયોગ કરવામાં રહેશે
-મૂર્તિઓ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ નામનું મટીરીયલ્સ વાપરવાનું નહીં.
-આ મૂર્તિઓના કલર કામમાં ટોકિસક અને લોનબાયો ડીગ્રેડેબલ કેમિકલ ડાઈનો ઉપયોગ કરવો નહીં.
-મૂર્તિઓની મહત્તમ ઊંચાઈ ૯ ફૂટથી વધુ ન હોવી જોઈએ
ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરતા પંડાલો,આયોજકો,મંડળો વિગેરેએ આ પ્રતિબંધિત પદાર્થોથી બનેલી મૂર્તિઓની ખરીદી ન કરવી તથા તેની સ્થાપના પણ ન કરવી અન્યથા આવી મૂર્તિઓ મહાનગરપાલિકા ધ્વારા જપ્ત કરી, નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી અખબારીયાદી મનપા દ્વારા જાહેર કરવામાં આવી છે.