Mysamachar.in-જામનગર:
આમ તો લીંબુ અનેક રીતે ગુણકારી છે, સાથે જ તેનો વિવિધ દાળ શાક સહિતના ખાદ્યપદાર્થોમાં પણ ઉપયોગ થતો હોય છે, લીંબુમાં વિટામીન સી ની માત્રા ભરપુર હોય છે, એટલે તે માનવશરીરની ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ કરે છે, હાલમાં કોરોના વાયરસની મહામારીના સમયે દરરોજ એક લીંબુ પાણી પીવાની ટેવ રાખવાથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે. તેથી તે ખુબ ફાયદાકારક કહેવાય છે, લીંબુના રસને સવારે હુંફાળા પાણીમાં નાખી પીવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. અહી કેટલાક લીંબુ પાણીથી શરીરને થતાં ફાયદા વિશેની વાત કરી છે જેમાં….
-પાચન શક્તિાને વધારવામાં લીંબુ મહત્વેપૂર્ણ ભૂમિકા ભજવે છે. પેટને સ્વ્ચ્છꄌ કરે છે
– આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે કે ભોજન ન પચવાથી પેટમાં મૃત બેક્ટેરિયા એકત્રિત થઈ જાય છે. લીંબુ પાણીનું સેવન કરવાથી તે બહાર નિકળી જાય છે. કોલોનને પણ ઉત્તેજિત કરી તેની સફાઈ કરે છે. આપણા શરીરમાં કોલોનની સફાઈ વધુ સારી રીતે થતી હોય તો વધુ સારું કામ આપે છે અને પોષક તત્વોને ગ્રહણ કરી તેનો ઉપયોગ કરે છે.
-લીંબુમાં એસીડિક તત્વ હોવાને કારણે તે આપણા મોમાં આવતી દુર્ગંધને અટકાવે છે. આ ઉપરાંત દાંતમાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.
-લીંબુના નિયમિત સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. લીંબુમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ અને અનેક પોષક તત્વો શરીરને ઋતુ બદલાવાથી થતા સંક્રમણોથી બચાવે છે.
– શરદી થઈ હોય તો હુફાળા પાણીમાં એક ચમચી લીંબુનો રસ નાંખો અને એક ચમચી મધ નાંખી તે પી જવાથી ફાયદો થાય છે
-આ જ રીતે દમના રોગીઓ પણ હુંફાળા પાણીમાં લીંબુનો રસ નાખી પીવાથી ઘણો આરામ મળે છે.