Mysamachar.in-જામનગર
સમગ્ર રાજ્યમાં ગતસાંજથી જે ઘટનાએ ચર્ચા જગાવી તે છે, અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના વાયરસનો રીપોર્ટ પોજીટીવ આવ્યો તે..આ ઘટના બાદ મોડીરાત્રે એવું સામે આવ્યું કે જામનગરના લોકો પણ મુખ્યમંત્રીને રાહતફંડનો ચેક આપી ફોટો પડાવ્યો હતો, તે આગેવાનોમાં જામનગરના પૂર્વ મેયર અને હાલ સુમેર સ્પોર્ટ્સ કલબના પ્રમુખ રાજુ શેઠ, પૂર્વ રાજ્યમંત્રી પરમાનંદ ખટ્ટર, કિશોર ગલાણી અને ભરત ખુબચંદાણી સહિતના લોકો ઇમરાન ખેડાવાલા મુખ્યમંત્રીને મળ્યા બાદ તેવો પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા, જે બાબત સામે આવતા તંત્રએ તુરંત જ આ તમામને કોરોનટાઈનમાં રહેવાની સુચના આપી દીધી છે. જામનગરમાં થી ગયેલા લોકોમાં થી પરમાનંદ ખટ્ટર પોતાના અમદાવાદના નિવાસસ્થાન ખાતે સેલ્ફ કોરોનટાઈન થયાનું માયસમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું જયારે બાકીના તમામને પણ તંત્ર દ્વારા કોરોનટાઈન થવાની સુચના તાત્કાલિકધોરણે આપી દેવામાં આવી છે.