Mysamachar.in-ગાંધીનગરઃ
એક તરફ રાજ્યમાં વિવિધ શહેરોમાં હિંસક દેખાવો કરવામાં આવી રહ્યાં છે, તો બીજી બાજુ ત્રણ દિવસ ઇન્ટરનેટ બંધ રહેવાની વાત વહેતી થઇ હતી, જો કે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઇન્ટરનેટ બંધ રહેવાની વાત નકારી હતી અને કહ્યું કે આવી કોઇ મંજુરી આપવામાં આવી નથી. હાલ ગુજરાતમાં ઇન્ટરનેટ ચાલુ છે તે ચાલુ જ રહેશે. આ પહેલા રાજ્યમાં જરૂર પડ્યે ત્રણ દિવસ ઇન્ટરનેટ સેવા બંધ કરવાની અફવા ફેલાઇ હતી. તો રાજકોટ અને સુરતમાં હાલ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ માટે પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. કલમ 144 અંતર્ગત એક સ્થળે ચાર કે તેથી વધુ લોકો ભેગા થવા તથા જાહેરસભા તથા સરઘસ કાઢવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.