Mysamachar.in-જામનગર:
જામ્યુકોમાં અનિયમીતતાઓ શોધવા જવી જ પડતી નથી એક શોધવા જતા અનેક મળી જાય છે ત્યારે ટાઉન પ્લાનીંગ વિભાગ ઓડીટ વિભાગને ગાંઠતુ ન હોઇ અનેક પેરા કાઢી, તાત્કાલીક પુર્તતા મંગાઇ છે તેમાં એક ગંભીર મુદો એ પણ હતો કે ગેરકાયદેસર બાંધકામ કેટલા? આસામી વાઇઝ પગલા લીધાની વિગતો રજુ કરવી તેવો પત્ર ઓડીટરે ટીપીઓને પાઠવી તેની નકલો જે-તે સમયે સ્ટેન્ડીંગ કમીટીને તેમજ કમીશ્નરને પણ મોકલી હતી, સ્પષ્ટ આવક કેટલી થઇ તેની સંપુર્ણ તલસ્પર્શી વિગત ઓડીટ વિભાગમાં સબમીટ કરાતી નથી તેમ નોંધાયુ છે. આ અંગે વારંવાર માહિતી માંગવા છતાં માહિતી પુરી પણ પાડવામાં આવતી નથી. આવા અનેક પ્રશ્ર્નો ઓડીટે પુછયા છે જે અંગે બ્રાંચ જવાબ દેવાની જરા પણ દરકાર કરતી નથી અને ઓડીટને ગાંઠતી જ નથી.વર્ષ ૧૫-૧૬ માં માંગવામા આવેલી વિગત આ જ સુધી જે રીતે માંગવામા આવી હતી તે મુજબ રજુ કરાઇ ના હોવાનું જાણવા મળે છે.
-દરેક ગેરકાયદેસર બાંધકામ ચોપડે ચડતા નથી
જામ્યુકોની ટીપીઓ, એસ્ટેટ બંને બ્રાંચોના બારીકાઇથી અભ્યાસ કરતા એક સ્ફોટક વિગત એ બહાર આવી છે કે તમામ ગેરકાયદેસર બાંધકામ બાબતે જામ્યુકોમાં સુયોજીત રીતે યાદી બનતી જ નથી જે યાદી બને છે તે જાહેર કરાતી નથી, તેમજ સમયાંતરે અમુક મીલકત કાં તો તેમાંથી બાકાત થઇ જાય છે અથવા તો કોઇ પ્રકારે ચઢી પણ જાય છે અને જ્યારે જાહેર કરવાનું થાય તો સાચી યાદી જાહેર થતી નથી.