Mysamachar.in-જામનગર
કાયદાઓ નિયમો દરેક માટે સરખા હોવા જોઈએ, પણ જામનગરમાં આ સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા બનાવેલ નિયમોનું ખુદ સરકારી કર્મચારીઓ જ ઉલ્લંઘન કરી રહ્યાના આક્ષેપો થયા છે, અને આવા જવાબદાર કર્મચારીઓ સામે પગલા લેવા રજૂઆત પણ કરાઈ છે, જામનગર શહેરમાં કલેકટર તથા જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને જાહેરનામાનો લગત તંત્ર દ્વારા જ ભંગ થઈ રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે આ લોકો જાહેર જનતાને તગડો દંડ કોરોનાની આવી હાડમારીમાં પણ સ્થળ ઉપર વસુલ કરે છે. ત્યારે પ્રશ્ન એ છે કે તંત્ર કર્મચારીઑ દ્વારા થતાં ભંગ અંગે દંડની જોગવાઈ શું છે.? નિયમ મુજબ ટુ વ્હીલરમાં એક જ વ્યક્તિ જઈ શકે પાછળ કોઈને બેસાડી ન શકે તેમજ ફોર વ્હીલર માં ફકત ત્રણ જ વ્યક્તિ જઇ શકે જ્યારે જામનગર શહેરમાં હોમગાર્ડ, પોલીસ અને અન્ય શાખાના કર્મચારીઑ આ નિયમનો ખુલ્લેઆમ ઉલાળિયો કરી ભોળી પ્રજા ઉપર કાળો કેર વર્તાવે છે. શું તે કાયદાકીય છે.?
જામનગર શહેરમાં લગાવેલ CCTV કેમેરાના ફૂટેજો જોતાં માલૂમ પડશે કે કાયદો છે કે આ કર્મચારીઑ કાયદાના બાપ છે. આવા સંજોગોમાં J.M,C. એસ્ટેટ શાખામાં ચાલતી તુફાન વ્હીકલમાં આશરે 10 થી 12 કર્મચારીઑ ફરતા દ્ર્ષ્ટિમાન થયેલ છે. આ અંગે તા. 27/04/2020ના કમિશ્નરને જણાવેલ હતું કે “જે વાહનમાં ફક્ત બે વ્યક્તિ જઈ શકે તેમને બદલે 10 થી 12 વ્યક્તિ ઠસોઠસ બેસી વ્હીકલનો પાછળનો દરવાજો ખુલ્લે રાખી ફરે છે. “ આ એસ્ટેટ શાખાના કર્મચારીઑ ગરીબ જનતાને કાયદાનો ભય દેખાડી દંડ વસૂલે છે. અથવા તો રોકડી કરી લ્યે છે ત્યારે પ્રશ્ન એ છે કે આ લોકોને દંડ કરવાની જ્વાબદારી કોની છે.? આમ ની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની જવાબદારી કોની છે. તેવો સવાલ પણ સામાજિક કાર્યકર કલ્પેશ આશાણી દ્વારા કરવામાં આવ્યો છે,
રજુઆતમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે તા.29/04/2020 ના રોજ આ તુફાન વ્હીકલ રણજીતનગર બકાલા માર્કેટ બાપા સીતારામની મઢૂલી પાસે ચેકીંગ અર્થે આવેલ ત્યારે પણ આજ પરિસ્થિતી હતી તેમના કર્મચારી સ્મોકીંગ કરતાં હતા તમાકુવાળા મસાલા ઘસીને ખાતા હતા અને તેઓના મોઢા પર માસ્ક પણ ન હતા ત્યારે પ્રશ્ન એ છે કે સીગારેટ, તમાકુ, સોપારીની હાલમાં મનાઈ હોવા છતાં આ લોકો પાસે સીગારેટ અને તમાકુવાળા મસાલા આવ્યા ક્યાથી ? આ અંગે તા.29/04/2020 ના રોજ 11:56 કલાકે કમિશ્નરને આ અંગે ટેલીફોનિક વાતચીત કરી માહિતી આપેલ હતી અને આ અંગે ફરીથી મને કહેલ કે આ અંગે મે એસ્ટેટ શાખાને સૂચના આપેલ છે. તેમ છતાં ફરીથી સૂચના આપી દઇશ પરંતુ શું સૂચના આપવાથી જ આ લોકો સુધરી જશે? શું આ અંગે કમિશ્નર JMC ની કોઈ જ જવાબદારી નથી? JMC માં લગાડેલ CCTV કેમેરા ફૂટેજો કબ્જે લઈ આ સમગ્ર મામલે તપાસ કરી આ કર્મચારીઑ વિરુદ્ધ તાત્કાલિક પગલાં લઈ જનતા સમક્ષ કાર્યવાહી કરી કાયદો સર્વોપરી છે. તેવું લોકમાનસ માં જાગૃતિ લાવવા કાયદાકિય દ્ર્ષ્ટાંત મૂકવા રજૂઆત કરવામાં આવી છે.