Mysamachar.in-જામનગર
જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાના કેસોનું સંક્રમણ અટકાવવા જીલ્લા કલેકટર દ્વારા તાકીદની અસરથી કેટલાક ફેરફારો કરી અને એક જાહેરનામું પ્રસીદ્ધ કરાયું છે, જે મુજબ આવતીકાલથી જામનગરમાં કલમ 144 લાગુ રહેશે, અને જીલ્લાની તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે, અને અન્ય રાજ્ય કે જિલ્લામાં અવરજવર માટે મનાઈ ફરમાવવા સાથે આવતીકાલથી મેડીકલ સ્ટોર્સ અને આરોગ્ય વિષયક સેવાઓ 24 કલાક, દુધની ડેરીઓ સવારે 6 થી 9 અને સાંજે 7 થી 9, શાકભાજી ફળફળાદી લારીઓ દુકાનો અને કરીયાણાની દુકાનો સવારે 6 થી 9 અને 7થી ૯, જયારે અનાજ કારીયાનાના હોલસેલ વેપારીઓ 2થી 4 સુધી ખુલ્લા રહી શકશે આમ જામનગર જિલ્લામાં આવતીકાલથી લોકડાઉનની ફરી ચુસ્ત અમલવારી શરુ થશે તેવો હુકમ કલેકટર દ્વારા જારી કરી દેવા આવો છે