Mysamachar.in:જામનગર
કોરોનાનો નવો વેરીયન્ટ ખુબ જ ખતરનાક છે?? તેવો પ્રશ્ર્ન ચિંતા સાથે થાય તેવી ઘટના બની છે જેમાં -SOP ના ચુસ્ત પાલન છતા એક જ પરિવારના ચાર જેટલા સભ્યોને કોવિડ ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે જેથી આ જામનગરના ઉદ્યોગપતિ પરીવારમાં સ્નેહી સ્વજનો માટે પણ ચિંતા ઉભી થઇ છે જે માટે તકેદારીની તાકીદે અપીલ પણ કરાઇ છેવાત જાણે એમ છે કે જામનગરના જાણીતા ઉદ્યોગપતિ જીતેન્દ્ર હરિદાસ લાલ ( જીતુ લાલ) તેમના સુપુત્ર ના લગ્ન માટે રાજસ્થાનના સુવિખ્યાત અને જાજરમાન જયપુર પેલેસમા આયોજન કરીને આ પ્રસંગ માટે ગયા હતા ત્યારે સવાલ એ ઉભો થયો કે આ પેલેસમા તે વખતે અમુક વિદેશીઓ પણ રોકાયેલા હતાદરમ્યાન લગ્નપ્રસંગ સંપન્ન કરી જીતુભાઇ પરિવાર સાથે જામનગર આવ્યા ત્યારે શરદી વગેરે અમુક ફરોયાદ લાગતા ટેસ્ટ કરાવતા પરિવારના ત્રણ ચાર સભ્યો કોરોના પોઝીટીવ આવ્યા છેઆશ્ર્ચર્યની બાબત એ છે કે જીતુભાઇ લાલના જણાવ્યા પ્રમાણે તેમણે સૌએ SOP નુ ચુસ્ત પાલન કરેલુ તેમ છતા તેઓ જાતે અને તેમના પરિવારના સભ્યોના કોવિડ પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે
માટે આ જાણીતા ઉદ્યોપતિએ લાલ પરીવાર વતી લગ્નપ્રસંગે કે જ્યા માત્ર મર્યાદીત સગા સ્નેહીઓ જ હાજર હતા તેમને સૌને કાળજી લઇને રિપોર્ટ કરાવવા અને જરૂર હોય તે સારવાર કરાવવા માટે નુ સુચન તાત્કાલીક એક ઓડીયો રીલીઝ કરી ને કર્યુ છે સાથે સાથે સૌને કોવિડ ગાઇડલાઇનના ચુસ્ત પાલન નો અનુરોધ કર્યો છે તેમજ આગામી તારીખ ૧૧ ના રોજ અશોકભાઇ લાલ ના બંને સુપુત્રોના લગ્ન નુ આયોજન હતુ તે પણ હાલ મોકુફ રખાયાનુ પણ આ ખાસ ઓડીયોમા જીતુભાઇએ જણાવ્યુ છે ત્યારે હાલ તો જે અપીલ કરાઇ છે તેને આ પ્રસંગ પુરતી સિમીત ન લઇ ને સમગ્રપણે ઘર થી માંડી બજાર ઓફીસ શાળા દવાખાના બીઝનેસ પ્લેસ વગેરે દરેક સ્થળે સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરવુ બંને ફોલો કરવાની સમયની તાતી માંગ તો છે જ.