Mysamachar.in-જામનગર:
જામનગરમા કોરોનાનો કહેર વધતા બિનજરૂરી અવરજવર પ્રતિબંધીત કરવા માટે પોલીસની ખુબ મોટી જવાબદારી છે, ત્યારે એલ.સી.બી. અને એસ.ઓ.જી ટીમની સમસ્યા એ છે કે ફરજ પાળવી કે નિયમ પાળવા? બંને સાથે થાય? અને કંઇ કામ કે પ્લાનીંગની ચર્ચા કરવા સ્ટાફ એકઠા થાય તો લોકો ટીકા કરે કે સોશ્યલ ડીસ્ટન્સ ખુદ પોલીસ જ પાળતી નથી અરે ભાઇ ડ્રોન રેન્જની ચર્ચા તો કરવા દ્યો…અને હા કોઇ એસ.પી.સાહેબને આ ફોટો બતાવશો નહી તો ઠપકો મળશે કેમ કે સ્ટાફ કામસર એકઠા અને નજીક છે માટે નિયમ ભંગ ભુલથી થઇ જાય અને ફરજ ભાન ભુલાવે જોકે બીજી તરફ એસ.પી. એ.એસ.પી. ડીવાયએસપી વગેરે ફરજ પણ બજાવે છે અને નિયમ પાલન પણ સરસ રીતે કરે છે તો સ્ટાફ કેમ એક માત્ર ડ્રોન ના મામલે સોશ્યલ ડીસ્ટન્સીંગની કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પાળી ન શક્યો?? એ જવાબ કોણ આપશે? શું આપશે? પણ હા કોઇ સાહેબને ન કહેતા હો…..ફરજમા ચાલ્યા કરે ટીકા ન કરાય.