Mysamachar.in-જામનગર
જામનગરમાં lockdown ના સમયગાળામાં જે ધંધાર્થીઓને મુક્તિ આપવામાં આવી છે, એ દરેક વ્યવસાયકારો કે જેમાં મેડિકલ સ્ટોર કરિયાણાની દુકાનો સહિતના ધંધાર્થીઓ માટે આજે બપોરે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં દરેક દુકાનદારોએ ગ્રાહકો માટે હેન્ડવોશ તેમજ સેનેટાઈઝર ની સુવિધા ફરજિયાત રાખવાની રહેશે જેથી દરેક ગ્રાહકોના હાથ સ્વચ્છ રહે તેવો ઉદ્દેશ દર્શાવવામાં આવ્યો છે આ અંગે સોલિડવેસ્ટ વિભાગના અધિકારી મુકેશ વરણવાએ જણાવ્યું હતું કે કમિશનર સતીશ પટેલના આ જાહેરનામાનો ભંગ કરનાર દુકાનદારને પ્રથમ વખત રૂપિયા 200 દંડ અને બીજી વખત પકડાય તો રૂપિયા ૫૦૦નો દંડ વસૂલવામાં આવશે જેથી દરેક દુકાનદારોએ આ કાળજીની અમલવારી કરવાની રહેશે.