Mysamachar.in-જામનગર:
જામનગરમા એક તરફ ગલીએ ખાંચે નાની-મોટી મધ્યમ ખાનગી સ્કુલો ખુલી ગઇ છે, તો મસમોટા બીલ્ડીંગ વાળી પણ અનેક સ્કુલો શિક્ષણના કારખાનાને બદલે કમાવાના કારખાના બન્યા છે, ત્યારે નાના મધ્યમ વગેરે પગારવાળા એક હજારથી વધુ ભાઇઓ બહેનો જેઓ કોઇ પરણીત કોઇ અપરણીત કોઇ શૈક્ષણીક કોઇ બિન શૈક્ષણિક કોઇ ક્વોલીફાઇડ કોઇ અન્ડર ક્વોલીફાઇડ વગેરે પ્રકારના છે, તેમાંથી મોટાભાગનાઓને ગત માંર્ચ બાદ પગાર મળ્યા નથી માત્ર પ્રતિષ્ઠીત ટ્રસ્ટીઓવાળી અને અમુક શાળાઓએ તેમના સ્ટાફને પગાર ચુકવવાનુ ચાલુ રાખ્યુ છે, એ સિવાય મોટાભાગની શાળાઓના સ્ટાફને પગાર ન મળતા ક્યાય પુરો પગાર ન મળતા ક્યાક તો નોકરી જ જોખમમા મુકાયાનુ વગેરે બાબતો સામે આવી છે,
અમુક ખાનગી શાળાઓના સંચાલકોની જાહોજહાલી હોવા છતા સ્ટાફને પગારના બદલે બહાના આપે છે, ત્યારે બે હજાર અઢી હજાર ત્રણ કે સાડાત્રણ હજાર ચાર કે સાડાચાર હજાર પાંચ કે સાડાપાંચ કે છ હજાર કે સાત હજાર જેવા સામાન્ય પગારવાળા આવી શાળાઓ નુ ઘરનુ બજેટ ખોરવાયુ છે કેમ કે ઘરના બીજા સભ્યો પણ લોકડાઉનમા ઘરે બેઠા હતા તેઓ દરેકના કે પતિ પત્નિની આવકના આધારે પોતાનુ બાળકોનુ વડીલોનુ ગુજરાન ચાલતુ હોય તેવા અનેક પરિવારની કરૂણતા ભરેલી સ્થિતિ થઇ હોવાના જામનગરમા અનેક દાખલાઓ જોવા મળે છે,
ભરપેટ ખાઇ તોંદ પર હાથ ફેરવનારા અમુક નિંભરોએએ ન વિચાર્યુ કે મારો સ્ટાફ જમ્યો કે ભુખ્યો છે (આવુ શિક્ષણ સિવાયના જુદા જુદા ધંધા ઉદ્યોગોના સ્થળોમાંથી પણ ઘણી જગ્યાએ બન્યાનુ સામે આવ્યુ છે) ઉપરથી શાળાઓ એ વિદ્યાર્થીઓની ફી લેવી છે તે માટે અનેક કારસાઓ અજમાવે છે પાઠ્ય પુસ્તક યુનિફોર્મ સ્ટેશનરી લેવા ફી ભરવા વગેરે સુચનાઓ તો અવિરત આપતા જાય છે ત્યારે શાળાતો બંધ છે તો પણ એડવાન્સ ફી માટેના દબાણથી વાલીઓ મુંઝાણા છે, આમ સ્ટાફનુ ય શોષણ અને વાલીઓના શોષણ કરતી અમુક ખાનગી શાળાઓ સામે નૈતિક રીતે કોઇ સતાવાળાઓ પગલા લેશે ?? કે પછી કોઇ સંસ્થાઓ મંડળો મોરચો માંડશે?