My samachar.in:-જામનગર
જામનગર શહેરમાં રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ અનેકવિધ સેવાકીય અને સામાજીક પ્રવૃતિઓ કરે છે ત્યારે સમુહ યજ્ઞોપવિત તથા સમુહલગ્નનું આયોજન તા.21ને ગુરૂવારના વિશ્વકર્મા બાગ, ગાંધીનગર, મેઇન રોડ પર સમાજના તથા રાજસ્વી શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમમાં 12 બટુકો સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરશે તેમજ 12 દીકરીઓના સમૂહમાં લગ્નોત્સવ યોજાશે. રણજીતનગર બ્રહ્મ સમાજ કર્તવ્ય ભાવે દાતાઓના સહયોગથી કન્યાદાન સ્વરૂપે સમૃધ્ધ કરીયાવર દરેક દિકરીઓને સામાજીક રિવાજો મુજબ તમામ માંગલિક પ્રસંગો આચાર્ય દ્વારા વિધિવત રીતે કરાવવામાં આવશે.બહારગામથી આવનાર જાનને તથા બટુકોના સ્નેહીઓને ઉતારા, નાસ્તા, ભોજન વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે.કાર્યક્રમને સફળ બનાવવા 121 કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
કાર્યક્રમનું સંચાલન માટે છેલ્લા 21 દિવસથી ચિરાગ ઇન્વેસ્ટમેન્ટ, સીટી આર્કેટમાં કાર્યાલય શરૂ કરાયું છે.કાર્યક્રમમાં મુખ્ય દાતા ધર્મેન્દ્રસિંહ જાડેજા સહીત અન્યનો જરૂરી સહયોગ મળ્યો છે.કાર્યક્રમની રૂપરેખા આપવા માટે શ્રી રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજની ટીમ પૂર્વ સ્ટે.કમિટી ચેરમેન સુભાષજોશી સાથે માયસમાચાર કાર્યાલય ખાતે આવ્યા ત્યારે ટેવોની સાથે રણજીતનગર સમસ્ત બ્રહમ સમાજના પ્રમુખ સુનીલ ખેતીયા, મહામંત્રી ચિરાગ પંડયા, પૂર્વ પ્રમુખ નરેન્દ્ર ત્રિવેદી, કારોબારી સભ્ય કલ્પેશ જોશી સહિતના હાજર રહ્યા હતા મહત્વનું છે કે આ સમૂહલગ્નમાં દીકરીઓને 51 જીવનજરૂરી ચીજવસ્તુઓ અને યજ્ઞોપવીત બટુકોને પણ જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવશે.મહત્વનું છે કે આ સંસ્થા મેરેજબ્યુરો, સમૂહ જનોઈ, ચોપડા વિતરણ, યાત્રા પ્રવાસ, શ્રાવની બળેવ,નવરાત્રી આયોજન, સમૂહલગ્ન, સરસ્વતી સન્માન, સર્વરોગ નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમો વર્ષ દરમિયાન કરતુ રહે છે.