Mysamachar.in-જામનગર:રાજકોટ:અમરેલી:
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર અને બુધવારના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કર્યાના સમાચાર ગઈકાલે માયસમાચાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, એવામાં આગાહી પૂર્વે જ આજે જામનગર સહીત રાજકોટના ગ્રામીણ વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, અને વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટાઓ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે,
એક બાજુ કોરોનાની મહામારી, બીજી બાજુ લોકડાઉન અને ત્રીજી બાજુ એ અચાનક વરસાદી ઝાપટાઓ પડતા લોકોની ચિંતા બેવડાઈ છે, આજે સાંજે રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો તો સાથે જ અમરેલીના ખાંભા સહિતના વિસ્તારમાં પણ વરસાદ પાડવા સાથે જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટા બાદ ભંગડા, નવાગામ, ઉમરાણા, મોટી વાવડી, સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ પડ્યા તો કાલમેઘડા ગામે વરસાદ સાથે કરા પડતા ખેડૂતોની મુંજવણ વધી જવા પામી હતી.