Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
ખેતીપ્રધાન રાષ્ટ્રમા ખેડુતોને લગતા પુરતા તકેદારી માટેના સરકારી વિભાગો ન હોય જામનગર અને દ્વારકા જિલ્લાના ખેડુતો વારંવાર ખાતર બિયારણ દવામા છેતરાય છે, માટે જરૂર એ છે કે ખેડુતો ભોળવાય નહી છેતરાય નહી તે માટે ખાસ સીસ્ટમ વિકસાવવી અને વિજીલન્ટ વિભાગ કાર્યરત કરવો જોઇએ કેમકે અનેક લેભાગુઓ વર્ષોથી ખેડૂતોને છેતરતા જ આવ્યા છે, અને આ છેતરામણીથી જંગી નાણા વારંવાર ખંખેરાય ગયા છે, ઉપરથી પાક અને જમીનને પણ નુકસાન થયા છે,
ભૂતકાળમા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફ્રોડ કંપનીઓ દ્વારા ગ્રામ્ય પંથકમાં ખેડૂતોને લોભામણી જાહેરાત આપી ડુપ્લીકેટ રાસાયણિક ખાતર પધરાવી છેતરપિંડી કરાતી હોવાના અનેક બનાવો સામે આવ્યા હતા આવુ જામનગર જિલ્લામા પણ બન્યુ હોય તે નો ખ્યાલ હવે આવે તેવુ પણ બની શકે છે, કેમકે જમીન સુધારકના નામે ખેડૂતોને રાસાયણિક ખાતર આપવામાં આવતું હોવાથી પાકમાં પણ ગંભીર અસર પડે છે. તંત્ર દ્વારા સરકાર માન્ય વિક્રેતા પાસેથી જ રાસાયણિક ખાતર ખરીદવા અનુરોધ કરવામાં આવે છે,
ખેડૂતો ખેતરમાં જંતુનાશક દવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય છે.ખેતરમાં કોઇ પણ રીતે નિંદામણનો નાશ કરવા માટે યેનકેન પ્રકારની દવા અને રાસાયણિક ખાતર વાપરવા પ્રેરાયા હતા, ત્યારે આવા સમયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાસાયણિક ખાતરના નામે લોભામણી જાહેરાતો આપી ખેડૂતો સાથે છેતરપિંડી કરતી અનેક ફ્રોડ કંપનીઓ સક્રિય થઇ છે.આવી ફ્રોડ કંપની ઉભી કરી ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને જાહેરાત કરી રાસાયણિક ખાતર પધરાવાતા હોવાનું જિલ્લા ખેતી વિભાગના ધ્યાને આવતા ખેડૂતોને સાવચેતી રાખવા ખાસ સુચના આપી છે.તેમજ જો આવી કોઇ કંપની ગામડામાં વેચાણ કરતા માલુમ પડે તો તાત્કાલીક જાણ કરવા ખેડુતોને અનુરોધ કર્યો હતો,
ખેડુતોએ આવી ફ્રોડ કંપનીઓથી બચવા માટે સર્ટીફાઈડ કે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બિયારણની પસંદગી કરવી જોઈએ.આવા ડુપ્લિકેટ ખાતરનો લાંબા સમય સુધી જો જમીનમાં ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા પણ ઘટી શકે તેમ છે. આ લોભામણી સ્કીમના જિલ્લામાં અનેક ખેડુતો ભોગ બની રહ્યા છે. જો કોઇ ખેડુત આવી લોભામણી જાહેરાતમાં આવી ખાતર ખરીદ્યું હોઇ તો દ્વારકા જિલ્લાના નાયબ ખેતી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)નો સંપર્ક કરવા જણાવાયું છે જોકે છેતરાયા બાદ શુ ? જે જે નુકસાન ખેડુતો ને થયા તે બેઅસર થોડા થઇ જશે? તે પણ સવાલ છે માટે નિયમિત વીજીલન્સ સરકાર કેમ નકરે તે સવાલ છે,
-ખેડુતો આ રીતે જાણી શકે ખાતર ડુપ્લીકેટ છે કે નહીં
ખેડુતોએ હંમેશા સબસીડીવાળા ખાતર લેવા સરકાર માન્ય વિક્રેતાઓ પાસેથી ખરીદી કરવી જોએ.અને જો ડુપ્લીકેટ છે કે નહી તે જાણવું હોઇ તો થેલી ઉપર ઉર્વરક કે ફર્ટીલાઈઝર શબ્દ લખેલ હોય તે ખાતર માન્ય કંપનીનું હોય છે.જેથી છેતરપિંડીનો ભોગ ખેડુત ન બને તે આવકાર્ય છે
-સરકાર માન્ય વિક્રેતા પાસેથી જ ખરીદો
જે ખરેખર ગામમાં ફેરિયાઓ દ્વારા લોભામણી સ્કીમ આપી જમીન સુધારકના નામે ખાતર પધરાવવામાં આવે છે.તે હકિકતમાં ખાતર હોતું નથી.અને જમીનને પણ નુકશાન પહોંચાડે છે.આવા ડુપ્લિકેટથી બચવા ખેડુતોએ હંમેશા સરકર માન્ય વિક્રેતા પાસેથી જ અને પાકા બિલ સાથે ખરીદી કરવી જોઇએ તેમ લગત અધીકારીઓ જણાવે છે.