Mysamachar.in-જામનગર:
રોજગારી આપવાના દાવા કરતી રાજ્યસરકારના દાવાઓમાં કેટલો દમ છે, તે સૌ જાણે છે, આજે પણ કેટલાય શિક્ષિત બેરોજગારો નોકરીઓ માટે ફાંફા મારી રહ્યા છે, એવા જ બે નોકરીવાંછું એ આજે જામનગર જીલ્લા પંચાયતમાં થયેલ ભરતીપ્રક્રિયા સામે આક્ષેપ સાથે કોઈ પગલા ના લેવાતા આત્મવિલોપન કરવાની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી, કાલાવડના ઉમેદવારોએ DDO ને પત્ર લખી આપી આત્મવિલોપન ની ચીમકી આપતા એક તબક્કે પોલીસ સહિતનું તંત્ર દોડતું થઇ જવા પામ્યું હતું,
જીલ્લા પંચાયત ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, ચીમકી આપનાર યુવકોનો આક્ષેપ છે કે વર્ષ 2016-17 માં આરોગ્ય કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિ થઇ છે, અને અમાન્ય યુનિવર્સિટી ના પ્રમાણપત્ર પર ભરતી કરવામાં આવી છે, વધુમાં ભરતીમાં કૌભાંડની છેલ્લા અઢી વર્ષથી લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરવામાં આવ્યા છતાં કોઈ તપાસ નહીં થતા આજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર બન્ને જ્યારે જીલ્લા પંચાયત ખાતે પહોચ્યા ત્યારે પોલીસ દ્વારા તેને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.