Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના જુદા જુદા ગામડાના લોકો કે જેઓ હાલ સુરત ધંધો કરવા માટે ગયેલ છે. હાલ સુરત કલેક્ટર દ્વારા તેઓને પોતાના વતન જામનગર જીલ્લાના જુદા-જુદા ગામોમાં આવવા માટે પરમીશન આપવામાં આવેલ છે. કલેક્ટર જામનગરનું સૂચના થી આવા લોકોને જામનગર જીલ્લામાં પ્રવેશ આપવામાં આવતો નથી પરંતુ અમરેલી જીલ્લાના વતનીઓને સુરતથી અમરેલી, રાજકોટ, જુનાગઢ, મોરબી જીલ્લામાં પ્રવેશ આપવામાં આવે છે. તો જામનગર જીલ્લાના વતનીઓએ કયો ગુન્હો કરેલ છે કે તેઓને સુરત થી આવનાર લોકોને જામનગર જીલ્લામાં પ્રવેશ માટે પરમીશન આપવામાં આવતી નથી તો સુરતથી આવનાર લોકોને જામનગર જિલ્લામાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગણી કરતો પત્ર જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે મુખ્યમંત્રીને લખ્યો છે. ઉપરાંત રાઘવજી પટેલે ટેલીફોનીક વાતચીતમાં કહ્યું કે જામનગર શહેર પુરતું પ્રવેશબંધ ઠીક છે, પણ ગ્રામીણ વિસ્તારમાં સુરત થી આવતા અને મૂળ જામનગરના લોકોને પ્રવેશ આપવા દેવો જોઈએ તેવી મારી માંગણી છે,