Mysamachar.in-જામનગર:
લોકડાઉનમા મંદીનો માર સહન કરતા વેપારીઓને જીએસટીના જુના રીટર્નની પેનલ્ટીનો હજુ સુધી સરકારે કંઇ નિર્ણય ન લેતા વેપારીઓમા કચવાટ છે, અને કોને ખબર કેમ સરકાર વ્યાપક હિતના મુદે નિર્ણય લેવામા બેદરકારી ભર્યા વિલંબ જ કરે છે તેમ ગણગણાટ અને કચવાટ જાહેરમા સંભળાય છે, તેમજ ટેક્સને લગત અઢળક પ્રશ્ર્નો ઉઠ્યા છે જે વણ ઉકેલ છે, કોરોના મહામારીને ફેલાવાને અટકાવવા દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું છે. જેના પગલે સરકાર દ્વારા જીએસટીના ફ્રેબુઆરી, માર્ચ અને એપ્રિલ મહીનાના રિર્ટન ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
પરંતુ લોકડાઉનના કારણે વેટ વિભાગની કચેરીઓ, ટેકસ પ્રેકટીશ્નરોની ઓફીસો બંધ હોય હાલારના ઘણા વેપારીઓને જાન્યુઆરી તેમજ તે પૂર્વના રિર્ટન ભરવાના બાકી હોય આ રિર્ટનની પેનલ્ટીમાં સરકાર દ્વારા કોઇ રાહત આપવામાં નથી. આટલું જ નહીં રિર્ટન સમયસર ન ભરાતા રોજના રૂ.50 થી 200 ના દંડથી આર્થિક સંકડામણ વચ્ચે મુશ્કેલી બેવડાઇ હોવાની ફરિયાદો વેપારીઓમાં ઉઠી છે.
-બ્રાસ ઉદ્યોગને કસ્ટમ ડયુટીની વિલંબીત ચૂકવણીના વ્યાજમાંથી મુક્તિ આપો
કોરોનાના સંક્રમણને અટકાવવા લોકાડાઉનના કારણે જામનગર બ્રાસઉધોગ ઘણા દિવસ બંધ રહ્યા હોય ઉધોગકારો પર મોટું આર્થિક ભારણ આવી પડયું છે. ઉધોગકારો ભારે આર્થિક નુકશાની ભોગવી રહ્યા હોવા છતાં કર્મચારીઓને રહેઠાણ,રાશન તથા વેતન ચૂકવી રહ્યા છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા કસ્ટમ ડયુટીની વિલંબીત ચૂકવણી પર વ્યાજ વસૂલાતની જોગવાઇ દૂર કરવા નાણામંત્રીને પણ રજુઆત થઇ છે
-નવી મુસીબત
જામનગર વેટ કચેરીને જીએસટીના પોર્ટલમાં કેટલા વેપારીઓએ નિયમ મુજબના મહિનાના કયાં રિર્ટન ભરવાના બાકી છે તે આવતું ન હોય કેટલા વેપારીઓને રિર્ટન ભરવાના બાકી છે તેની જાણ નથી. દર મહીને અમદાવાદ કચેરી દ્વારા રિર્ટન ન ભરનારની યાદી જામનગર કચેરીને મોકલાય છે
-રીફંડ, ઇ-વે બીલ, ટીડીએસના પત્રકોની મુદત ન વધતા દંડ, બેંકનું વ્યાજના પ્રશ્નો ઉકેલવા જરૂરી
ભારત સરકારે પત્રકોની મુદત વધારી છે પરંતુ નિકાસકારોના કિસ્સામાં પત્રકો જેટલા મોડા ભરાશે તેટલું આઇજીએસટી રીફંડ મોડું આવશે, લોકડાઉન પિરિયડ અંતર્ગત 90% કરતાં વધુ વેપારીઓ ઈ-વે બિલના કાયદા પ્રણાલીનું પાલન કરી શક્યા નથી જેથી મુશ્કેલી વધશે. સરકારે કાયદા હેઠળના ટીડીએસ/ટીસીએસ ભરવાની અને પત્રકો સાદર કરવાની મુદતમાં વધારો કર્યો નથી, આથી વેપારીઓ દંડ ભોગવી રહ્યા છે. મોટા એકમો કે જેઓ બેન્ક ક્રેડિટ લિમિટ કે ઓવર ડ્રાફ્ટ વાપરે છે, તેઓ પાસે બેન્કો ત્રિમાસિક અહેવાલો (ઓએમએસ) રિપોર્ટ માંગે છે અને જે સમયસર ન આપવાને કારણે તેઓને 2% વધુ વ્યાજ ભરવું પડે છે.
રાજ્ય સરકારે વર્ષ 2019 માં જાહેર કરેલ વેરા સમાધાન યોજનાનો બીજો હપ્તો ભરવાની તા. 30.4.2020 છે અને આ મુદત વધી નથીવર્ષ 2015-16 ની આકારણી માર્ચ મહિનામાં પૂર્ણ થયેલ હતી અને આ આકારણી અંતે જો કોઇ ડીમાન્ડ ઉપસ્થિત થયેલ હોય તો તે ડીમાન્ડ ઉપસ્થિત થયાના 35 દિવસમાં જમા કરાવવાની મુદતમાં વધારો થયો નથી જીએસટી પોર્ટલમાં ઓટોમેટીક લેટ ફી કેલ્કયુલેશન ચાલુ છે અને જે જે બાબતોમાં વેપારીઓ લોકડાઉનની શરૂઆતમાં કસૂરદાર હતા તે દરેક બાબતો પર રોજના 50-100-200 જેટલો દંડ ભોગવી રહ્યા છે તેમ ટેક્સ પ્રેક્ટીસનર્સ જણાવે છે.