Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
સરકાર દ્વારા ગૌચરની જમીન અન્યને ફાળવવા માટે નિમ કરવામાં આવી રહી છે, ત્યારે આ ગૌચર ની જમીનો ઔદ્યોગિક હેતુ માટે સરકારે નિમ કરી ન ફાળવવા તથા ગૌચર જમીન પશુધન માટે અનામત રહે ચરિયાણ માટે અનામત રહે એવી માંગ અંગેની અનેક અરજીઓ લાંબા સમયથી રેવન્યુ અને પંચાયત વિભાગોને મળતી રહે છે, ઉપરાંત ગૌચરની જમીન પર થયેલ દબાણો શોધી સ્થાપિત તત્વો પાસેથી ગૌચર જમીન કબજે લઈ દબાણ દુર કરવા વહીવટી તંત્ર કામગીરી કરે તેમજ ગૌશાળાઓ પાંજરાપોળો ની બાકી સબસીડીની રકમ ચૂકવાય તેવી સવિસ્તાર રજુઆતો થાય છે, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી જુદા-જુદા માર્ગો કે કેનાલનું કામ ઝડપી ન થઇ રહ્યુ હોઇ ખેડૂતો ગ્રામજનો તેમજ અન્ય મુસાફરોના વાહનોને હાલાકી પડે છે, આ માટે જમીન સંપાદન મુદ્દે ખાસ વિશેષ દરજ્જાના અધિકાર હેઠળ જમીન સંપાદન પ્રક્રિયા ઝડપી બનાવી જમીન માલિકો ને એવોર્ડની રકમ ચૂકવી આપવા જોઇએ તેના બદલે આવા અનેક કેસો પેન્ડીંગ છે.
……એટલે જ પશુઓ ગામમા ઘુસે છે.
ગામડાઓના ગૌચર નાશ થાય છે તેમજ એ સિવાયના ખુલ્લા મેદાનો કે રોડ સાઇડ ચરિયાણ માટે કંઇ જગ્યા નથી રહેતી શહેરોની આજુબાજુ પણ પશુઓ માટે હરિયાળી વિસામો નથી તેમજ ક્યાય પાણી પણ રહેતુ ન હોવાથી જ પશુઓ ગામોમા નગરોમા શહેરોમા ઘુસે છે, ખરેખર પશુઓની મોકળાશ વાળી જગ્યાના વપરાશ થવા લાગતા પશુઓ ક્યા જાય? માટે જ પશુઓના ગામોમા અડીંગા જામે છે.