Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અને તેમાં પણ ખાસ કરીને પટેલકોલોની સહિતના વિસ્તારોમાં લુખાગીરી કરનાર દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન વિરુદ્ધ અગાઉ ધાક ધમકી આપવી, ચોરી કરવી, મારામારી, લૂંટ, બળજબરી પચાવી પાડવા જેવા 10 થી વધુ ગુનાઓ નોધાયેલ છે. માથાભારે ગુનાહિત માનસ ધરાવતો હોય જીવલેણ હથિયાર રાખી બળજબરીથી પડાવી લેવાની પ્રવૃતિ ધરાવતો હોય જેથી અસામાજીક પ્રવૃતિ અટકાવવા માટે સીટી બી ડીવી પો. ઇન્સ જે.વી.રાઠોડ તથા એલ.સી.બી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલી આપતા જિલ્લા મેજીસ્ટ્રેટએ પાસા વોરંટ ઇસ્યુ કરી દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળસિંહ ચૌહાણ ને સુરત ની જલાલપોર જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.