Mysamachar.in-જામનગર:
આગામી તા.૪ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો દૌર આરંભી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી સંભવતઃ કાર્યક્રમોમાં તેવો હોસ્પિટલનું લોકાર્પણ, રણજીત સાગર ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવાની શરૂઆત સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે,
જે બાદ જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી તેવો જાહેર સભાને સંબોધિત કરશે. ત્યારે SPG સિક્યોરીટી ધરાવતા વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ચૂક ના રહી જાય તે માટે આજે જામનગર SP શરદ સિંઘલ સહિતના તમામ પોલીસ અધિકારીઓની ટીમ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી અને થઈ રહેલ વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી,
પ્રદર્શન ગ્રાઉન્ડ પર ગત વિધાનસભાની ચૂંટણીઓ વખતે પણ પ્રધાનમંત્રી મોદીએ જાહેરસભાને સંબોધિત કરી હતી અને હવે લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે, ત્યારે પણ પ્રધાનમંત્રી જામનગર ખાતે ફરી એક વખત જાહેર સભાને સંબોધિત કરશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.