Mysamachar.in-જામનગર:
એક અસરદાર સમાચાર માધ્યમની અસરકારકતા કેટલી હોય તે વધુ એક વખત લોકપ્રિય ન્યુઝ પોર્ટલ માય સમાચારે સાબિત કરી બતાવ્યું છે, અને જામનગરની મોદી સ્કુલને બંધ કરવાનો લેખિત હુકમ કરી દેવામાં આવ્યો છે, જામનગરના લાલપુર રોડ પરની મોદી સ્કુલ ગેરકાયદેસર ચાલતી હતી તેને દંડ કરવામા જીલ્લા શિક્ષણાધિકારી લાજ કાઢી રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું હતું, અને જાણે શાળા સંચાલકો વતી ફરજ બજાવતા હોય તેવુ ચિત્ર તેના થોથવાતા જવાબથી તારણ નીકળે છે, પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો તે આદેશ મુજબ અંદાજે તેર લાખ જેટલી રકમ વસુલવાની થાય તો સરકારના આદેશને જીલ્લા શિક્ષણાધિકારી અવગણી જ ન શકે તો કેમ અવગણે છે તે બાબતે સરકારમાંથી તપાસ થવી જરૂરી છે,
જામનગર સહીત સૌરાષ્ટ્રભરના શિક્ષણજગતમાં જે મામલાએ ભારે ચકચાર મચાવી છે, તે જામનગરના લાલપુર રોડ પર આવેલ “મોદીસ્કુલ” દ્વારા જામનગર શિક્ષણ વિભાગની મીઠી નજર હેઠળ શૈક્ષણિકકાર્ય મંજુરી વિના જ શરુ કરી દેવામાં આવ્યાનો મામલો સૌ પ્રથમ “માયસમાચાર” દ્વારા લોકો સમક્ષ મુકવામાં આવ્યો હતો, અને તે સમાચાર ની ઈમ્પેક્ટ આવી છે, માય સમાચારને હાથ સૌ પ્રથમ એ પત્ર પણ લાગ્યો હતો જેમાં પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વારા સપ્ટેમ્બર માસમાં આ શાળાને ક્યા કારણોસર નામંજૂર કરવામાં આવી છે તે દર્શાવાયુ છે,
જે હુકમના અમુક મહત્વાના પોઇન્ટસ જોઇએ તો શાળા મંજુરી ના હોવા છતાં પણ શિક્ષણ કાર્ય ચલાવે તો…
રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ ના નિયમ ૧૮ (૫) ની જોગવાઈ અનુસાર માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય શાળામંડલ શાળા ચાલુ રાખે તો તેને રૂ.૧ લાખ સુધીનો દંડ થઇ શકે છે,, અને ઉલ્લંધન ચાલુ રાખવાની બાબતમાં જેટલા દિવસ આ ઉલ્લંધન ચાલુ રહે તે દરમ્યાન દરેક દિવસ માટે રૂ.૧૦ હજાર સુધીનો દંડ થઇ શકે. માટે ડીઇઓ આ મુજબ દંડ લેતા ન હોઇ તેની સામે પગલા લેવાશે?? તેવા પ્રશ્ર્નો ઉઠ્યા છે.
આજે શિક્ષણાધિકારી ડોડીયાએ કહ્યું કે…
આજે આ મામલે જીલ્લા શિક્ષણાધિકારી ડોડીયાની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે જે મોદી સ્કુલ મંજુરી વિના ચાલતી હતી તેને પહેલા મૌખિક સુચના આપ્યા બાદ લેખિત હુકમ કરી દેવામાં આવ્યો છે, અને શાળાએ હુકમની અમલવારી કરી ને શૈક્ષણિક કાર્ય બંધ કરી દીધું છે, અને દંડની રકમ અંગે હવે કાર્યવાહી કરવામાં આવશે.