Mysamachar.in-જામનગર:
જામનગર એક તરફ સ્વામીનારાયણનગર થી નવાગામ ઘેડ થઇ ગાંધીનગર સુધીની ડી.પી. કપાત નો મામલો ગરમ છે, ત્યા રણજીતનગર અને વિભાપર તરફ રોડની ડી.પી. કપાત એક તો શક્ય બનશે કે કેમ તે સવાલ છે બીજુ ત્યા પણ વિરોધ કરવા ગતિવિધીઓ ચાલે છે, તાજેતરમાં જ રણજીતનગરના વેપારીઓ દ્વારા પણ આ મામલે ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી,
ત્યારે આવી કપાતો ચુટણીના વર્ષમા કરવાનુ આયોજન કરી સતાધારીઓને પ્રજાનો વિરોધનો સામનો કરવો ભારે પડશે તેવુ અનુમાન પણ સમીક્ષકોને છે, સાત રસ્તાથી સુભાષબ્રિજ સુધીના 30 મીટર ડી.પી.કપાત રોડને, રાજકોટ રોડ ઉપર ગુજરાત ગેસથી વિભાપર ગામ તરફ રેલ ટ્રેક સુધી 24 મીટર ડી.પી.કપાતની તેમજ રણજીતનગર પટેલ સમાજથી 49 દિગ્વિજય પ્લોટ ઇદમસ્જીદ સુધી અગાઉ નક્કી કરેલા 18 મીટીર ડી.પી.રોડની મંજુરી આપાઇ છે, આવી કપાતો ટ્રાફીક માટે જરૂરી હશે પરંતુ નાગરીકોના દુકાન મકાન જે રોડ ટચ હોય તેના કપાત થાય તો આવી મીલકતોની જે માર્કેટ વેલ્યુ હોય તે મુજબ તો વળતર પુરૂ મળતુ ન હોય વિરોધ નુ અનુમાન છે.