Mysamachar.in:જામનગર:
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ એક મોબાઈલ કંપનીના ઊંચા ટાવર પર ફીટ કરવામાં આવેલ લોખંડની છત્રી થોડા દિવસ પહેલા નીચે ખાબકતા અફડાતફડી મચી જવા પામી હતી ઉંચાઈ પરથી નીચે ખાબકેલી છત્રી નીચે એક રહેણાક મકાન પર પડતા પતરું તૂટી ગયું હતું. સદનશીબે નીચે કોઈ માણસ ન હોવાથી મોટી ઘટના સહેજમાં ટળી હતી, માટે હવે તો રહેણાક બહુમાળીની અગાસીઓના મોબાઇલ ટાવરોની મજબુતાઇઓ તપાસો તેવો નાગરીકોમાંથી ચિંતાજનક સૂર ઉઠ્યા છે,
કેમકે જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલ નીલકમલ સોસાયટીમાં એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવર પર ફીટ કરવામાં આવેલ ઉંચાઈ પરની લોખંડની છત્રી એકાએક નીચે ખાબકી હતી. ઢળતી સાંજે ઘટેલી આ ઘટનામાં મોબાઈલ ટાવર નીચે રહેલ એક રહેણાંક મકાનમાં નુકસાની થવા પામી હતી, આવા જ ટાવરો પી.એન. રોડ, કાલાવડ નાકા બહાર,પટેલ કોલોની,રામેશ્ર્વરનગર, પાર્ક કોલોની ,શરૂ સેક્શન ,મેહુલનગર, સુમેરક્લબ રોડ સહિત અનેક વિસ્તારોમા આવા ટાવર રહેણાક કે કોમર્શીયલ બહુમાળીની અગાસીઓ મોબાઇલ કંપનીએ ખડક્યા છે તેના સ્ટ્રક્ચ સ્ટેબીલીટી ચેક નહી થાય તો દુર્ઘટનાઓ થતી રહેવાની ભિતિ સેવાય છે.