Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં કેટલીય ખાનગી શાળાઓએ આવા કપરાકાળમાં જયારે મોટા ભાગના કામધંધા બંધ છે, ત્યારે વાલીઓને ફી માટે ઉઘરાણી કરી હતી, મામલો વધુ સળગતો લાગતા આજે જે કામ જીલ્લા શિક્ષણાધિકારી એ પહેલા કરવાનું હતું તેને બદલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાની જેમ હવે છેક શાળાઓને જાણ કરતો પત્ર મોકલ્યો છે જે અત્રે પ્રસ્તુત છે
હાલ સમગ્ર દેશમાં નોવેલ કોરોના વાઇરસની મહામારીએ હાહાકાર મચાવેલ છે. જેથી સરકાર દ્વારા લોકડાઉનનો આદેશ કરવામાં આવેલ હોવાથી મોટાભાગના લોકોની આજીવિકા બંધ થઈ ગયેલ છે. અને હાલ તે પૈકી ઘણા વાલીઓ મુશ્કેલીથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વાલીઓ પરિવારની રોજિંદી જરૂરિયાત મુશ્કેલીથી પૂરી કરી રહ્યા છે ત્યારે તેમના બાળકોનું શિક્ષણ અગત્યનું છે. છતાં પણ બીજી ઘણી મુશ્કેલીના દોર માથી તેઓ પસાર થઈ રહ્યા છે. થઈ રહ્યા હશે.
આ પરિસ્થતિમાં શાળા સંચાલક મંડળ તેમની શાળામાં અભ્યાસ કરતાં વિધાર્થીના વાલી પાસેથી ફી ની માંગણી યેન કેન પ્રકારે કરી રહ્યા છે તે યોગ્ય નથી. આ અનુસંધાને શાળા સંચાલક મંડળના વડાને વાલીઑ વતી વિનંતી કરવામાં આવે છે કે હાલ વિધાર્થીના વાલી પાસેથી નવા સત્રની ફી માંગણી કરવી નહિ અને વિધાર્થીની ગયા સત્રની બાકી ફી શાળાને ખૂબ જરૂરિયાત હોઈ તો પણ વાલીને ફી ભરવા માટે દબાણ પૂર્વક જણાવવું નહીં હાલ પૂરતું તેમણે શક્ય હોઈ તેટલી મુદત આપવી અને તેમની અનુકુળતા મુજબ ફી ભરવા જણાવવું