Mysamachar.in-જામનગર:
વાવાઝોડું અને વરસાદ આવે અને સાવચેતીના ભાગરૂપે વીજપ્રવાહ બંધ કરવો પડે તો ઠીક છે,પણ જામનગર શહેરના નગરસીમ વિસ્તાર,રામેશ્વરનગર,કેટલાક ગ્રામીણ વિસ્તારોમા સવારથી સાંજ સુધી વીજપ્રવાહ બંધ થઇ જતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે,તો અધિકારીઓ પાસે યોગ્ય જવાબો પણ નથી,ત્યારે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે અત્યારે આવી સ્થિતિ PGVCL ની હોય તો હજુ તો આખુંય ચોમાસું તો બાકી જ છે.