Mysamachar.in-જામનગર
સરકાર દ્વારા ચણાની ખરીદી માટે જામનગર તાલુકસંધને પરવાનગી આપવામાં આવી છે. જામનગર તાલુકા સંઘ સૌ પ્રથમ જામનગર તાલુકાની ખેડૂતોની ખરીદી કરશે જામનગર તાલુકાનાં ગ્રામ્ય ખેડૂતો ખરીદી પત્યા પછી કાલાવડ તાલુકાના ખેડૂતોની ખરીદી થશે આ દરમ્યાન જુન મહિનો (ચોમાસુ) આવી જશે કાલાવડ તાલુકા ખેડૂતો પૈસાની જરૂરિયાત હોઈ આથી કાલાવડ તાલુકા ખેડૂતો ચણાની ખરીદી તાત્કાલિક થાય તેવી રજૂઆત કાલાવડના ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ મૂળ કાલાવડના જ અને રાજ્યના કૃષિમંત્રીને કરી છે,
આ ઉપરાંત કાલાવડ તાલુકામાં 92000 ખેડૂત ખાતેદારો છે તે પૈકી 8000 ખેડૂતોએ ચણાના વેચાણ માટે ઓનલાઇન અરજી કરેલ છે. કાલાવડ તાલુકામા મંડળીઑ અને યાર્ડ હોવા છતાં ભાજપના કાર્યકરોમાં અંદરો અંદરની માથાકૂટને કારણે કાલાવડ તાલુકાની મંડળી અને યાર્ડ ચણા ખરીદ કરવાની મંજૂરી આપવામાં આવી નથી આથી પાડાને વાંકે પખાલીને દમ આપવા જેવો ઘાટ ઘડાયો છે.
ચણા ખરીદ કરવાની મંજૂરી કરવાની જામનગર તાલુકા સંઘને અપાય હોવાથી કાલાવડ તાલુકાના ખેડૂતોએ જામનગર તાલુકાના ખેડૂતો માલ ચણા વેચાણ થયા બાદ 80 કી મી દુર ચણા વેચવા જવું પડશે જેના કારણે વાહન ભાડું વધશે સમયનો પણ વ્યય થશે અને ચણા રિજેક્ટ થશે તો ખેડૂતોને વધારે હાલાકી ભોગવવી પડશે વળી સમયસર વેચાણ ન થવાથી ખેડૂતોને ધિરાણભરવાના સમયે આર્થિક સંક્રમણનો ભોગ બનવું પડશે.આમ ચણાની ખરીદી કાલાવડ તાલુકા મથકે સમયસર થાય તેમ કરવા રજુઆતના અંતે જણાવવામાં આવ્યું છે.