Mysamachar.in-જામનગર:
માત્ર એક વખતથી નહી અનેક વખત જાણવાથી જ જાગૃતિ આવી શકે માટે mysamachar ના વ્યુઅર્સ માટે ફરી એક વખત કોરોનાના લક્ષણ બચવાના ઉપાય વગેરે ઉપયોગી થશે, કોરોના વાયરસના લક્ષણો સૌ જાણે છે, માથાનો દુખાવો, તાવ આવવો, શરદી, ગળામાં સોજો આવવો, ઉધરસ આવવી, બેચેની લાગવી નબળી રોગ પ્રતિકારકતા ધરાવતા અને મોટી ઉંમરના લોકોને ગંભીર રીતે શ્વસનતંત્રનો ચેપ લાગવાની શક્યતાઓ રહેલી છે, જેનાથી ફેફસામાં કફ જામી જવો અને શ્વાસ લેવામાં તકલીફ થવી,
કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે.સામાન્ય રીતે કોરોના વાયરસ ચેપી વ્યક્તિના સંપર્કથી અન્ય વ્યક્તિમાં ફ્લાતો હોવાનું માનવામાં આવે છે, ચેપી વ્યક્તિની છીંક કે ઉધરસ ચેપી વ્યક્તિની નજીક આવવાની કે હાથ મિલાવવાથી ચેપગ્રસ્તતા સાફ થયા બાદ સાબુથી હાથ ધોયા વગર શરીરના આંખ, નાક કે મોં ના સ્પર્શ થવો વગેરે કારણો પણ હોય શકે છે.
-કોરોના વાયરસથી બચવાના ઉપાયો
સાબુથી સારી રીતે હાથને વારંવાર સાફ કરવા, સાબુથી હાથ ધોયા વગર શરીરના આંખ, નાક કે મોં નો સ્પર્શ કરવો નહી. ચેપી વ્યક્તિથી દુર રહેવું, છીંક અને ખાંસી આવવાના સમયે નાક અને હોઠ રૂમાલથી ઢાંકવુ.પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. શરદી અને ક્લ જેવા લક્ષણોવાળા વ્યક્તિઓનો સંપર્ક ટાળવો અને ૬ મીટરનું અંતર રાખવું. ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું, લાંબા સમયથી શરદી, ખાંસી અને ઉધરસ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક આપના ડોકટરનો સંપર્ક કરવો.