Mysamachar.in-જામનગર:
શિક્ષિત લોકો છેતરપીંડીનો ભોગ બને ત્યારે લાગે કે બહુ કરી…હમણાં હમણાં જામનગરમાં કેટલાય કિસ્સાઓ એવા સામે આવ્યા કે જેમાં ભણેલા ગણેલા સુ-શિક્ષિત લોકો જ છેતરપીંડીનો ભોગ બને છે, જામનગરમાં આવો વધુ એક કિસ્સો પોલીસચોપડે ચઢ્યો છે, વાત એવી છે કે દાંડિયા હનુમાન મંદિર પાસે રાધે ક્રિષ્ના એવન્યુમાં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા વિશાલ ભારદીયાએ મોબાઇલ નંબર ૭૨૩૪૦ ૯૯૫૬૮ તથા ૬૩૭૭૨૦૯૪૩૪ નો ધારકો પોતાનુ જ્યુપીટર મોટરસાઈકલ ઓએલએક્ષ પર વેચાણ માટેની જાહેરાત મૂકી હતી, જે જ્યુંપીટર ખરીદવા માટે વિશાલે આપેલા નંબર પર સંપર્ક કરતા વિશાલ સાથે વિશ્વાસ કેળવી અને તેના બેન્ક એકાઉન્ટ નમ્બર મેળવી લઈને ૧,૮૩,૦૦૦/- ઉપાડી ના તો જ્યુપીટર આપ્યું કે ના રુપીયા પાછા આપતા વિશાલે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં બન્ને મોબાઈલનંબર વાળા શખ્સો વિરુદ્ધ આઈ.ટી.એક્ટ છેતરપીંડી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.