Mysamachar.in:જામનગર:
જામનગર શહેર અને જિલ્લામાં લોકોએ કોરોનાની મહામારીના પગલે વડાપ્રધાન દ્વારા લોકડાઉનના જાહેર કરવામાં આવેલા પ્રથમ અને દ્વિતીય તબક્કાના અંતિમ દિવસોની ગણતરી થઈ રહી છેચ, ત્યારે જામનગરને હાલમાં ગ્રીન ઝોનના બદલે ઓરેન્જ ઝોનમાં દર્શાવવામાં આવી રહ્યું છે, શક્ય છે કે તેમાં ફેરબદલ થાય…. ત્યારે શહેરીજનો અને જાણકાર લોકો દ્વારા એવી ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી ત્રીજી મેં થી જાણે તમામ પ્રકારની છૂટછાટો વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવે અને પોતે પહેલાની જેમ જ હરી ફરી શકે તેવા ઉમદા વિચારોને સ્વીકારવા હાલના સમયમાં અત્યંત જોખમી પુરવાર થાય તેવી બાબતો પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તજજ્ઞો દ્વારા દર્શાવવામાં આવી રહી છે,
આજે ગુજરાતના સ્થાપના દિવસે પણ જામનગરના કલેકટર, કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, એસ.પી. સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ એ આગામી સમયમાં પણ સાવચેતી અને સાવધાની રાખવા માટે ત્રણ સંકલ્પો જાહેર કર્યા છે, સાથોસાથ જામનગરના કેબિનેટમંત્રી રાજ્યકક્ષાના મંત્રી, સાંસદ સહિતના રાજકીય મહાનુભાવોએ પણ ચહેરા ઉપર માસ્ક પહેરવું તેમજ સોશિયલ distance જાળવવું તેમજ સેનેટાઈઝર અને સાબુથી વારંવાર હાથ સાફ કરવાના સંકલ્પો લીધા છે, અને લોકોને પણ આ નિયમોનું અમલીકરણ અવિરત જારી રાખવાની તાકીદ કરવામાં આવી છે, આ બાબતો જ શહેરીજનોને એટલું તો સમજવું જરૂરી છે કે જામનગર ગ્રીન ઝોનમાં કે ઓરેન્જ ઝોનમાં હોય તેમ છતાં લોકોએ આ ત્રણ સંકલ્પોનો અમલ લાંબા સમય સુધી કરી કોરોનાને નેસ્તનાબુદ કરવામાં સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે તે અત્યંત જરૂરી બન્યું છે.