Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જીલ્લામાં બહારના જીલ્લા અને રાજ્યમાં થી મંજુરી સાથે પ્રવેશી રહેલા લોકોને કારણે કોરોના પોજીટીવના કેસોની સંખ્યા સતત વધવા લાગી છે, સતત વધી રહેલા કેસોને કારણે તંત્ર દ્વારા સંપૂર્ણ લોકડાઉન અમલ કરવામાં આવ્યું છે, અને જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે નો સમય નિશ્ચિત કરી દેવાયો છે, એવામાં જામનગર શહેર અને જીલ્લામાં બહારથી જે લોકો આવ્યા તેને કારણે સંક્રમણ વધવા લાગ્યું છે, અને કુલ પોજીટીવ કેસનો આંકડો આજે સવાર 8:૦૦ વાગ્યા સુધીમાં 26 સુધી પહોચ્યો છે, જેમાં બે બાળકોના મોત થયા છે.
ત્યારે હવે ના માત્ર તંત્ર પણ જામનગર જીલ્લાના એક એક લોકોની એ જવાબદારી બની છે કે તેવો કોરોનાનું સંક્રમણ વધતું અટકાવે, ઘરમાં રહે સુરક્ષિત રહે, બહારથી આવતા લોકો ચોરીછુપીથી ઘુસી જાય તો તંત્રને જાણકારી આપે, ઘરની આસપાસ ટોળા એકત્ર ના થવા દે, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે, આમ તમામ નો સહિયારો પ્રયાસ બનશે તો જ જામનગરમાં કેસો વધતા અટકાવી શકાશે