Mysamachar.in-ગાંધીનગર:
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના જિલ્લાઓમાં કેટલાક ફેરફારોને લઈને ચાલી રહેલી ચર્ચાઓમાં રાજ્યના ત્રણ શહેરો જામનગર, ભાવનગર અને ગાંધીનગર વિસ્તાર એમ ત્રણેય શહેરોમાં ડીએસપી ને બદલે પોલીસકમિશનરેટમાં ફેરવાઈ જવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે, આ બાબતની સતાવાર કોઈ જાહેરાત થઇ નથી પણ આગામી ૨૬ ફેબ્રુઆરીએ મળનાર રાજ્યના બજેટ દરમિયાન આ જાહેરાત થવાની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે, જો આમ થાય તો મંજૂરીઓ, જાહેરનામાઓ, પરવાના, સહિતના નિર્ણયોની સતા કલેકટરથી પોલીસ કમિશ્નર તરફ જતી રહેશે, કાયદો વ્યવસ્થા સહિતના નિર્ણયો કમિશ્નર જ લેશે, વસ્તીની સંખ્યા, વીઆઈપી મુવમેન્ટ, ક્રાઈમરેટ સહિતના કેટલાય પાસાઓને ધ્યાને લઈને સંભવત: આ ત્રણેય શહેરો માટે કમિશનરેટ ની જાહેરાત આગામી બજેટ સત્ર દરમિયાન થઇ શકે છે.