Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના અંધાશ્રમ આવાસ કોલોની નજીક વસવાટ કરતી એક સગીરા પર ત્રણેક વર્ષ પૂર્વે પાંચ શખ્સો દ્વારા સામુહિક બળાત્કાર,અપહરણ અને હુમલાની ફરિયાદ નોંધાઈ હતી,આવા જધન્ય કૃત્ય અંગે જામનગર પોક્સો કોર્ટે સખ્ત વલણ દાખવીને આજે આ ચર્ચાસ્પદ કિસ્સામાં પાંચેય આરોપીઓને તકસીરવાન ઠેરવી અને છેલ્લા શ્વાસ સુધીની સખ્ત કેદનો હુકમ કર્યો છે.
આ ચર્ચાસ્પદ કેસની વિગત એવી છે કે જામનગરના અંધાશ્રમઆવાસ કોલોની નજીક વસવાટ કરતી એક ૧૫ વર્ષીય સગીરાની ઓળખાણ ખીમરાજ ગઢવી સાથે થયેલ હતી,અને બન્ને અવારનવાર મોબાઈલ પર વાતચીત કરતાં હતા,તેવામાં એક દિવસ ભોગ બનનાર પોતાના દાદીમાં ના ઘરે દ્વારકા ખાતે ગયેલી ,જ્યાં તેણીના પિતા હાજર હોય તેની સાથે ઝઘડો થયેલો હોય તે દ્વારકાથી પ્રાઈવેટ વાહનમાં જામનગર આવવા નીકળેલ અને રસ્તામાંથી ફોન કરીને ખીમરાજ ગઢવીને ફોન કરી લેવા આવવા માટે જણાવેલ હતું,
જેથી ખીમરાજે મેઘપર પાટિયે થી ભોગબનનાર ને પોતાની કારમાં બેસાડી દીધેલ,જે કારમાં અન્ય એક માણસ પણ સાથે હતો,જેનું નામ હરજુગ પાલા હતું,જે બાદ ભોગ બનનાર સગીરા કારમાં બેસી જતા ખીમરાજ પણ તેની સાથે પાછળની સીટમાં બેસી ગયો હતો,અને તેને શારીરિક અડપલા કરી અને તું માંડ હાથમાં આવી છો તેમ કહી તેને ખોડીયાર કોલોની શાકમાર્કેટ નજીક આવેલ એક મકાન ખાતે લઇ ગયો હતો,જે સાવન હિંગરાજીયા નું હોય તે પણ મકાન ખાતે આવી ગયેલ અને એક રૂમમાં લઇ ગયા હતા,
જ્યાં વારાફરતી હરજુગ,ખીમરાજ,સાવને બળાત્કાર કરી તેના નગ્ન ફોટાઓ પાડી અને ખીમરાજે છરી વડે હુમલો પણ કર્યો હતો,અને ધાકધમકીઓ આપી હતી,જે બાદ પોતાની હવસ સંતોષાઈ જતા ખીમરાજે તેના મિત્રો હીમાંશુ કમલેશ અને સાજણને હવાલે કરી દીધેલ જે બંને સગીરાને રાવલસર ગામ ખાતે લઇ ગયા હતા,અને ત્યાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું,
આ સમગ્ર સામુહિક દુષ્કર્મ ને મામલે પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ દ્વારા ૫૯ જેટલા દસ્તાવેજી પુરાવાઓ,૧૨ જેટલા સાક્ષીઓ તપાસવામાં આવેલ અને બન્ને પક્ષોની દલીલોને ધ્યાને લઈને આજે પોક્સો કોર્ટે તમામ પાંચેય આરોપીઓને તકસીરવાન ઠેરવી કલમ ૩૭૬ હેઠળ છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સખ્ત સજાનો હુકમ તેમજ અન્ય અલગ અલગ કલમો હેઠળ જુદી-જુદી સજાઓ કરવમાં આવી છે,